SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ છે કે-“શ્રીપતિ’=અબ્રા (સ્ત્રી) સેવન સંબંધી આકુળ-વ્યાકુળતાથી, “વૈષણિકથા'=રૂપને . જેવાના અનુરાગથી–સ્ત્રીને જેવારૂપ દષ્ટિ વિકારથી થયેલી આકુળવ્યાકુળતાથી, એ પ્રમાણે “મનોરિયા=મનમાં સ્ત્રીનું ધ્યાન-ચિંતન કરવારૂપ મનેવિકારથી થયેલી આકુળવ્યાકુળતાથી, તથા “નમો નખણિયા=રાત્રે આહારપાણી વાપરવારૂપ વિપરીત વર્તન જેમાં હોય તેવી આકુળવ્યાકુળતાથી (તાત્પર્ય કેનિદ્રામાં છે તે પ્રકારની વ્યાકુળતાને કારણે અબ્રહ્મ સેવનનું, સ્ત્રીના રૂપને જવાનું, તેના ચિંતનનું, કે આહારપાણે વાપરવા સંબંધી સ્વપ્ન આવવાથી) “જો મથાવતઃ અતિચારઃ કૃત =જે મેં દિવસ સંબંધી અતિચાર કર્યો હોય તે “મિથ્યા મે ટુકતમું =મારું પાપ મિથ્યા થાઓ. પ્રશ્ન-સાધુને દિવસે શયનનો નિષેધ હોવાથી એ અતિચારે દિવસે કેવી રીતે થાય ? ઉત્તર-પ્રશ્ન બરાબર છે, પણ આ પાઠ જ એમ જણાવે છે કે વિહારને કારણે થાક લાગ્યો હોય ઈત્યાદિ પ્રસંગે અપવાદથી સાધુ દિવસે પણ શયન કરી શકે અને ત્યારે આ અતિચારે પણ સંભવિત છે. એમ શયન સંબંધી અતિચારોનું પ્રતિકમણ કહીને હવે ગોચરી સંબંધી અતિચારોનું પ્રતિકમણ કરવા માટે કહે છે કે- “ મનિ=પ્રતિકમણ કરું છું. શાનું? ગોચરી કરવામાં જે અતિચારે લાગ્યા હોય તેનું, એમ સર્વત્ર
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy