SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે ! ' તે ભાવસામાયિક છે. તેની સિદ્ધિ આ પચ્ચખાણ કરી તેનું પાલન કરવાથી થાય છે. સમજપૂર્વક જીવન પર્યંતનું આવું પચ્ચખાણ કરનારને તુર્ત ભૌતિક ઈરછાઓનો નાશ થવા માંડે છે, મન-વચનકાયાની શુભ પ્રવૃત્તિથી ચિત્તશુદ્ધિ થાય છે અને આત્મા સ્વરૂપને આનંદ અનુભવે છે. જડભાવો તેને આકર્ષણ કરવા અસમર્થ બની જાય છે અને આત્મગુણોનો રાગ પ્રગટવા માંડે છે. આ સૂત્ર આત્માના ચારિત્રરૂપ પ્રાણનું રક્ષણ કરવામાં બખ્તર તુલ્ય છે, તેને વારંવાર સમરણ કરી તેના અર્થોનું ધ્યાન કરવાથી જીવ પ્રમાદથી બચી જાય છે, માટે દરરોજની ક્રિયામાં તેને નવ વાર બોલવાનો વિધિ છે. તે ઉપરાંત પણ તેનું જેટલું વધારે ચિંતન થાય એટલે પ્રમાદ એમાં ભંતે ! શબ્દ છે તેને હું સુખી-કલ્યાણવંત ગુરૂ ! એવો અર્થ છે, તેથી એમ સમજવાનું છે કે જીવનભર ગુરૂની નિશ્રા ચારિત્રમાં આવશ્યક છે. બીજો અર્થ ભંતે !=હે ભવનો પાર પામેલા (જિનેશ્વર) દેવ ! એમ થાય છે. એથી “જીવનભર જિનાજ્ઞનું અખંડ પાલન કરવા માટે ચારિત્ર છે ”, એમ સમજવાનું છે. બીજી વખતે ભ તે ! શબ્દ આવે છે તેને ભાવ એ છે કે “હે ભગવંત ! આ ચારિત્ર હું આપના આશીર્વાદ-કૃપાથી લઈ શક્યો છું, એ યશ (ઉપકાર) આપને ઘટે છે ' એમ ભક્તિપૂર્વક કૃતજ્ઞતા બતાવવા માટે છે. આ પચ્ચક્ખાણમાં સામાઈએ કરેમિ' એનાથી વર્તમાનકાલનાં, પચ્ચખામિ ” પદથી ભવિષ્યકાલનાં અને “પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાયું વાસિરામિ” પદેથી ભૂતકાળનાં, એમ ત્રણે કાળનાં પાપ વ્યાપારોને ત્યાગ થાય છે. તિવિહં તિવિહેણું' પાઠથી સાત સભંગીઓ રૂ૫ ઓગણપચાસ ભાંગી અને તેને ત્રણ કાળથી ગણતાં એક સુડતાલીસમાં (છેલ્લા) ભાગે થતું આ પચ્ચખાણું ઉત્કૃષ્ટ છે.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy