SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસ પરિષહો ૩૦૫ છે એમ વિચારતે મુનિ વસતિનાં ગરમી-ઠંડી-ખાડા-ટેકરા વિગેરેમાં રાગ-દ્વેષ કર્યા વિના સુખ-દુઃખને સહન કરે, સારાખોટા ઉપાશ્રય પ્રત્યે રાગ-દ્વેષ ન કરે. ૧૨-આક્રોશ=પતે “ક્ષમાશ્રમણ છે એમ ભાવના ભાવતે મુનિ બીજે કઈ પિતાના ઉપર કોધ કરે તે પણ પોતે ક્રોધન કરે, કિન્તુ આક્રેશ કરનારને પણ ઉપકારી માને. ૧૩–વધ (તાડન તજન=કઈ તાડન કરે (માર મારે) તે પણ મને મારી તે નથી નાંખતેને !એમ સમજતે મુનિ સામે તેને મારે તે નહિ, પણ ભલે એણે દુષ્ટતાથી ક્રોધ કર્યો તે પણ મારે તે ક્ષમાગુણની સાધના માટે ઉપકાર થયે એમ ચિતવે. ૧૪ત્યાચના-પરના દાન ઉપર જીવનારા મુનિને યાચના કરવી તે યોગ્ય નથી, એમ સમજતે મુનિ યાચના કરવામાં દુઃખ ન માને અને પુનઃ ગ્રહવાસની ઈચ્છા પણ ન કરે. ૧૫–અલાભ બીજાની પાસેથી પિતાના કે પરના માટે આહારાદિ મળવાથી મંદ ન કરે અને ન મળવાથી પિતાની કે દાતારની નિન્દા પણ ન કરે. - ૧૬-રોગ-કર્મોના ઉદયથી કઈ પ્રસંગે રેગ થાય તે મુનિ ઉદ્વેગ ન કરે, તે માટે ઔષધાદિની ઈચ્છા પણ ન કરે, કિન્તુ શરીર અને આત્માની ભિન્નતાને સમજી દીનતા વિના પ્રસન્નચિત્ત રોગને સહન કરે ( ૧૭——ણસ્પર્શ=વસ્ત્રના અભાવે કે અલ્પ હોય ત્યારે ‘તૃણ (ઘાસ) વિગેરેને સંથારો કરતાં મુનિ તેના સ્પર્શનું
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy