SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ શ્રીપાક્ષિકસૂત્ર પ્રમાણે-૧-ઉત્તરાર્થનાનિ”=ઉત્તર એટલે પ્રધાન, અથવા પહેલા આચારાંગ સૂત્રના ઉત્તર વધારામાં કહેલાં, “વિનય અધ્યયન' વિગેરે છત્રીશ અધ્યયનેવાળ ગ્રંથ તે ‘ઉત્તરાધ્યયનાનિ. ૨-શ: =દશ અધ્યયનાત્મક ગ્રંથ, જેનું પ્રસિદ્ધ નામ દશા શ્રુતસ્કંધ છે. ૩-૪=સ્થવિરકલ્પ-જિનકલ્પ વિગેરે કલ્પ, અથવા ક૫ એટલે સાધુને આચાર, તેને પ્રતિપાદક ગ્રંથ તે “કલ્પ. ૪-ચ =પ્રાયશ્ચિત સંબંધી વ્યવહારને જણાવનાર ગ્રંથ તે “વ્યવહાર ૫-પિમાષિતાનિક અહિં ઋષિઓ એટલે “પ્રત્યેક બુદ્ધ વિગેરે સાધુઓ, તે શ્રીનેમિનાથજીના તીર્થમાં “નારદ વિગેરે વિશ, શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાં પંદર અને શ્રીવદ્ધમાન સ્વામિના તીર્થમાં દશ, એમ પીસ્તાલીશ મુનિવરે લેવા તેઓનાં કહેલાં “શ્રવણ’ વિગેરે તે તે વિષયનાં પીસ્તાલીશ અધ્યયને, તે “ઋષિભાષિતાનિ. ૬-નિશીથ =નિશીથ એટલે મધ્યરાત્રિએ વસ્તુ જેમ ગુપ્ત રહે છે. તેમ ગુપ્ત રાખવા ગ્ય રહસ્યભૂત (ગીતાર્થો સિવાય સામાન્ય સાધુને નહિ ભણવવા ગ્ય) અધ્યયન તે “નિશીથ' અર્થાત્ આચારાંગસૂત્રની પાંચમી ચૂલિકા. આ “નિશીથ' કરતાં મૂળગ્રંથ અને અર્થ જેમાં મહાન છે તે. –માનિશીથ'=“બૃહદ નિશીથસૂત્ર, ૮-નવૂધીપજ્ઞ =જેમાં જંબુદ્વીપ વિગેરે દ્વીપનું સ્વરૂપ જણાવેલું છે તે ગ્રન્થનું નામ “જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ છે. ૯મનમતિ ચંદ્રનું પિતાના માંડલામાં પરિભ્રમણ, તેને જણાવનારે ગ્રંથ તે “ચંદ્રપ્રજ્ઞપ્તિ. ૧૦-સૂબ =સૂર્યનાં માંડલાં અને તેનું પરિભ્રમણ વિગેરે જણાવનાર ગ્રંથ, તે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy