SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમતે સનિક એટલે?]. ૨૫ પરંતુ ના, આપત્તિ નથી, કેમકે આ આપત્તિનું નિવારણ તો એ રીતે થઈ શકે કે “તે તે ઈનિદ્રો માટે નિયત થયેલ વિષયનું ગ્રહણ તે તે ઈન્દ્રિય જ કરી શકે એવું તે ન્યાયમતવાળા તમારે પણ માનવું જ પડે છે. તેથી જેમ ચક્ષુસંયુક્ત આમ્રને સમવાય રસ સુધી પહોંચવા છતાં યોગ્યતાના અભાવે ન્યાયમતે પણ ચક્ષુથી રસનું પ્રત્યક્ષ નથી થતું, એમ જૈનમતે પણ ન થઈ શકે એ યુક્તિયુક્ત જ છે. - જનમતે: ગુણ-ક્રિયા-જતિની જેમ અભાવ પણ દ્રવ્યને પર્યાય છે, તેથી ઈન્દ્રિયસંયુક્તવિશેષણતાથી એનું પ્રત્યક્ષ થઈ શકે. દા. ત. આમ્રમાં મધુર રસ છે પરંતુ અશ્લરસને અભાવ છે, તે એનું પ્રત્યક્ષ રસનેન્દ્રિય સંબદ્ધ વિશેષણતાથી થઈ શકે છે. આમાં રસનેન્દ્રિય સંબદ્ધ બને આમ્ર; અને એમાં અમ્ફરસાભાવ વિશેષણ છે; એટલે તેમાં વિશેષણતા સંનિષ પહોંચી શકે છે. એવી જ રીતે પ્રકારના અધિકરણતા વગેરે ધર્મો પણ દ્રવ્યના પર્યાય છે. તેથી વિશેષણુતા” સન્નિકર્ષથી એનું પ્રત્યક્ષ થઈ શકે છે. પર્યાય ન માનનાર ન્યાયમને મુકેલી છે. અહીં ઈન્દ્રિયનો અભાવ સાથે સંબંધ થાય તે અભાવના અધિકરણ દ્વારા થાય. એટલે જીમ ઉપર આમ્રરસનું મધુર ટપકું મૂકયું. તે દ્રવ્ય હોવાથી “ દ્રવ્યદ્રવ્યને સંયોગ થાય” એ ન્યાયે તે મધુર ટપકું વિશેષણ તરીકે રસનાસીબદ્ધ બન્યું અને એમાં રહેલ વિશેષણ તરીકે અલરસાભાવ એ વિશેષણતા સંબંધથી પ્રત્યક્ષ
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy