SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૬ ન્યાય ભૂમિકા અને જે એકાંતે અભિન્ન હોય તે એમાં પણ આધારઆધમભાવની અનુપ પતિ ! સારાંશ- એકાન્તવાદીઓના મતે ધર્મ-ધમભાવ તથા સંબંધ વગેરેની અનુ૫૫ત્તિ થાય છે. એ અનુપપત્તિ હટાવવા માટે એકાંતવાદીઓએ અનેકાન્તવાદી જૈનદર્શનનું જ શરણું લેવું પડે. જિનદર્શન કહે છે,-ધર્મ એ ધર્મથી એકાન્ત ભિન્ન નથી, ને એકાતે અભિન્ન પણ નથી, કિન્તુ ભિન્નભિન્ન છે. એવું જ અભાવ અને એના અધિકરણ માટે ભિન્નભિન્ન છે. આ ધર્મ–ધમી વચ્ચે વિજાતીય (=ભેદથી વિલક્ષણ, ને અભેદથી ય વિલક્ષણ એવો) ભેદભેદ એ આધાર-આધેય ભાવની પણ ઉપપત્તિ કરી શકે છે, તેમજ સંબંધની અવસ્થા પણ ટાળી શકે છે. એનું કારણ આ, કે– જૈનદર્શનમાં સમગ્ર વિશ્વ એ દ્રવ્ય-પર્યાયમય છે. અભાવ કહે, ગુણ કહે, યા પ્રતિયોગિતા-વિષયતા-સ્વામિત્વ -સ્વવ વગેરે ધર્મો કહે, એ બધા આશ્રય-દ્રવ્યના પર્યાય છે. દ્રવ્ય અને પર્યાયને સંબંધ વિજાતીય ભેદભેદ છે. અથવા કહે, એ ગુણ–ધર્મો વગેરે આશ્રય-દ્રવ્યથી ભિન્નભિન્ન છે. એટલે જ ભિન્નતા અંશને લઈને આધારઆધેયભાવ સંગત થઈ શકે છે, તેમજ અભિન્નતા અંશને લઈને જુદા સંબંધની કલ્પના કરવાની રહેતી નથી. તેથી અનવસ્થા નથી આવતી, તેમ પ્રત્યક્ષ વિરોધ પણ નથી આવતા. –––
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy