SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મતે સમીક્ષા અભાવને એકાતે ભિન્ન માનવામાં દે: (૧) શેષ ન્યાયમતે અભાવને અધિકરણથી એકાંતે અતિરિક્ત માનવામાં લાઘવ બતાવ્યું, પરંતુ પહેલાં તે ત્યાં પ્રત્યક્ષ વિરોધ એ છે, કે ત્યાં પ્રત્યક્ષ જતાં અધિકરણ સિવાય બીજું કાંઈ દેખાતું નથી, અને તમારે અધિકરણ પર એક “અભાવ પદાર્થ લાવો છે! તેમજ વ્યવહાર પણ ભૂતલ પરથી ઘડો લઈ ગયા કે નષ્ટ થયા પછી એ જ થાય છે કે હવે તે અહીં ખાલી ભૂતલ છે, મૂતલ સિવાય બીજું કાંઈ જ નથી, આ પ્રત્યક્ષ વિરોધ, અને વ્યવહાર વિરોધ જ, અભાવ એક સ્વતંત્ર પદાર્થ હોવાનો નિષેધ કરે છે.' (૨) દોષ ? વળી “અતિરિક્ત અભાવનો અધિકરણ સાથે સંબંધ પણ કે માન? અધિકરણસ્વરૂપ? કે અલગ? એ પણ એક મેટો સવાલ છે; કેમકે અલગ સંબંધ માનવા જઈએ ત્યારે વળી એ સંબંધ માન્યા પછી એ નવા સંબંધને સંબંધ..-એમ એના સંબંધને સંબંધ.એવી રીતે અનવસ્થા ચાલે. (૩) દેષ - ત્યારે સંબંધને અધિકરણ સ્વરૂપ માનવા જતાં, અર્થાત્ તત્તત્કાલીન ભૂતલ-સ્વરૂપ સંબંધ ક૨વામાં “ચત્ર પ્રતિચો નાસ્તિ' એવી બુદ્ધિ લાવવી પડે છે. એ બુદ્ધિ ઊભી થાય પછી જ અભાવને
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy