SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ન્યાય ભૂમિકા તે સૂચવે છે કે જેમ ભૂતલમાં ઉષ્ણસ્પર્શ ભાવ ભૂતલસ્વરૂપ નથી, એમ આમ્રમાં મધુરરસાભાવ એ આમ્ર (અધિકરણ) સ્વરૂપ નથી. એટલે સિદ્ધ થાય છે, કે આ અભાવ અધિકરણથી અતિરિક્ત છે. તાત્પર્ય, અભાવ જે અધિકરણ સ્વરૂપ હોય તે અધિકરણને ગ્રહણ કરનારી ઈન્દ્રિયથી જ અભાવને ગ્રહણ કરવાની આપત્તિ આવે. (૪) થી દલીલ – અભાવને અધિકરણથી જુદો માનવામાં કદાચ એમ પ્રશ્ન થાય કે “પ્રતિયેગી ત્યાં લાવવા છતાં અધિકરણ તે પડેલું છે અને અભાવ નિત્ય માનેલ છે, તે પછી પ્રતિયેગી સત્ત્વશામાં પણ “અધિકારણું અભાવવએ બુદ્ધિ તદવસ્થ બની રહેવી જોઈએ. તેને જવાબ છે કે અભાવ માટે સંબંધ ખાલી ભૂતલ સ્વરૂપ નહિ, પણ “તત્ તત કાલીન ભૂતલ” સ્વરૂપ છે, (અર્થાત્ ત્ર પ્રતિચોળી નાસ્તિ તિ વુદ્ધિવાનમૂતર એ જ સંબંધ) તેથી ત્યાં પ્રતિગી આવતાં તેવી બુદ્ધિ નહિ થાય, એટલે એવી બુદ્ધિ કાલીન ભૂતલ ન રહ્યું તેથી તસ્વરૂપ સંબંધ ત્યાં ન રહ્યો. માટે ત્યાં “જમવાત મૂતમ્' ન થાય. સારાંશ, આમ (૧) અનંત અભાવવ ધર્મ માનવાની અપેક્ષાએ એક અતિરિક્ત અભાવમાં અભાવત્વ ધર્મની કલ્પનાનું લાઘવ, (૨) અધિકરણ અને અભાવ વચ્ચે આધાર-આધેયભાવની ઉ૫પત્તિ, (૩) રસાભાવાદિ તદ્ તદ્ અભાવની ત૬ તદ્દ ઇન્દ્રિય ગ્રાહ્યતાની સંગતતા; તથા (૪) અતિરિક્ત અભાવ પદાર્થમાં અભાવના-સંબંધની ઉપપત્તિ (=સંગતતા) થાય છે.
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy