SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ વતીય સ. . અને સંસારથી વિરતિ પામેલે હેવાથી દીક્ષા લેવાની ઈચ્છાવાળે થઈ ગુરૂના આગમનની અત્યંત રાહ જોવા લાગ્યા. તેવામાં એક દિવસ પોતાના જ પિતા ચાર જ્ઞાનને ધારણ કરનાર મહાવેગ નામના ગુરૂને પિતાના નગરના ઉદ્યાનમાં આવેલા સાંભળી તે રાજા હર્ષ પામ્યો. તરતજ ત્યાં જઈ તે ગુરૂને વાંદી બુદ્ધિના નિધાનરૂપ તે વન્ડિવેગે સાતસો સ્ત્રી પુરૂષો સહિત તે ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીચંદ્ર, વન્ડિગ અને સહસ્ત્રાયુધ આ ત્રણે રાજર્ષિઓ ચારિત્રના પ્રભાવથી તે જ ભવમાં મોક્ષે ગયા. લંકાનો સ્વામી શતકંઠ રાજા પણ સંયમ લેવાથી પાંચમે ભવે મોક્ષ પામે. આ પ્રમાણે હે પંડિતે ! ચારિત્ર ધર્મને પ્રભાવ તમે જાણે અને આદરે. - નિષ્કલંક ગૃહસ્થ ધર્મ પાળવાથી વિદ્યાધર રાજા ચકાયુધે આ ભવમાં ઉપમા રહિત મોટી રાજ્યલક્ષ્મી ભેગવી. ‘શુદ્ધ ધર્મને મહિમા પ્રમાણ રહિત છે.” સમુદ્રાદિકના જળ વિગેરે પ્રમાણુવાળા હોય છે, કલ્પવૃક્ષ વિગેરે પરિમિત પ્રભાવવાળા હોય છે અને વૃક્ષો પણ પરિમિત ફળને જ આપનાર હોય છે, તેથી આ ત્રણે પ્રકારે પણ ધર્મની જયલક્ષ્મીનું પ્રમાણ થઈ શકતું નથી. આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે સહસ્ત્રાયુધ વિગેરે ચાર રાજર્ષિના ચરિત્રવડે ચારિત્રધર્મના મહિમાના વર્ણનવાળે તથા શ્રાવકધર્મને પાળનાર શ્રીચક્રાયુધ રાજાના ચરિત્રના વર્ણનવાળો આ ત્રીજે સર્ગ સમાપ્ત થશે. ૩. *
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy