SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય સ.. ૫ હજાર કન્યાઓ ક્રીડા કરવા આવી હતી. તે સર્વે ચક્રી ઉપર રાગવાળી થઈ, તે જાણી ચકીએ તેમનું હરણ કર્યું, તે વૃત્તાંત પ્રતિહારીઓએ તેમના પિતાને જણાવ્યા, ત્યારે તે સર્વે વિદ્યાધર રાજાએ ત્યાં આવી ચક્રીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમને ચક્રીએ કાગડાની જેમ નસાડી મુકયા. આ અવસરે દક્ષિણુ શ્રેણિમાં આવેલા રથનૂપુર નામના મુખ્ય નગરમાં સમગ્ર વિદ્યાધરેથી સેવાતા વહ્નિવેગ નામના રાજા હતા. તેની પાસે તે સ વિદ્યાધરાએ જઈ પેાતાની કન્યાના હરણ સંબંધી વૃત્તાંત જણાબ્યા, કારણ કે તે તેમના સ્વામી હતા. તેની વાત સાંભળી તે ખેચરેત્રે ક્રોધ પામી પેાતાના દૂતદ્વારા ચક્રીને કહેવરાવ્યું કે— “ ખળાત્કારથી હરણ કરેલી કન્યાઓને તજી થો, અથવા યુદ્ધને માટે તૈયાર ' થાએ. ” આ તેનું કહેવું ચક્રીએ ભૂખ્યાને નિમંત્રણ કરવા જેવુ' માન્યું. તેથી તે ચક્રી સૈન્ય સહિત રથનૂપુર નગર પાસે આવ્યેા. તેના સામે ખળથી ઉદ્ધૃત એવા વહ્નિવેગ પણ તત્કાળ યુદ્ધ કરવા નીકળ્યા. એટલે તે બન્નેના સૈન્યનું ભારે યુદ્ધ થયું. તેમાં વહ્નિવેગે પત્તિ અને હાથીઓ ઘણા મરણ પામેલા જોયા, એટલે દયા આવવાથી તેણે ચીને કહ્યું કે— '' આપણે પરમ શ્રાર્વક થઈને શા માટે ફોગટ પત્તિ અને હાથીઓ વિગેરેને મરવા દેવા જોઈ એ ? સૈન્યના યુદ્ધથી સયુ, વીરેામાં શ્રેષ્ઠ એવા આપણે એ જ દ્વંદ્વયુદ્ધ કરીએ, કારણ કે જીતવાની ઇચ્છાવાળા વીર પુરૂષો બીજા કાઈને વિજયના સંવિભાગ આપવા ઈચ્છતા જ નથી. ” આ પ્રમાણેનું તેનું કહેવું ચક્રીએ અંગીકાર કર્યુ, તેથી તે બન્નેએ ચિર કાળ સુધી શર, ખડુ, દંડ અને ગદાવડે યુદ્ધ કર્યું. પરંતુ સમાન પરાક્રમી હાવાથી કાઇએ કોઈને જીત્યા નહીં. બે સિહનું યુદ્ધ થાય, તેમાં જલદીથી કાણુ કાનાવડે જીતાય ? ત્યારપછી ચક્રીએ ખેદ પામી ચક્રનું સ્મરણ કર્યું, એટલે તરતજ જાજવલ્યમાન ચક્ર તેની પાસે આવી હાજર થયું. ચક્રીએ સર્વ ખળથી તે ચક્રવડે દ્વિવેગને હૃદયમાં પ્રહાર કર્યાં. તેથી પવનવડે ઉખેડાયેલા જીણુ વૃક્ષની જેમ તે વહ્નિવેગ મૂર્છા ખાઈ પૃથ્વીપર પડયો. તેને સાધર્મિક બુદ્ધિથી ચક્રી પોતાના વજ્રના છેડાવડે પવન નાખવા લાગ્યા. થોડા વખતમાં બળવાન વહ્નિવેગ સંજ્ઞા પામી ઉભેા થયા. “ વાની કાયાવાળા વીરા શુદ્ધ શ્રાવકની જેમ ચિરકાળ સુધી ૧ જેમ શ્રાવક ચિરકાળ સુધી મુર્છા એટલે પરિગ્રહને ભજતા નથી, તેમ અસરીપણાને ભજતા નથી. મૂર્છાને ભજતા વીરા મુર્છા એટલે -------tri
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy