SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયાનંદ કેવળ ચરિત્ર પરાભવ કરી શક્યો નહીં, પરંતુ તે મુદ્દેગરે કરેલી મૂછને ક્ષણવાર અનુભવી અપ્રિય સ્ત્રીની જેમ ચક્રીએ તેને ત્યાગ કર્યો. પછી ચક્રીએ પિતાના વજાના મુદુગરવડે લંકાપતિ શતકંઠ રાજા ઉપર પ્રહાર કર્યો. તેના ઘાતની વ્યથાથી રૂધિરનું વમન કરતો તે મૂછિત થઈ ગયો. તેવી અવસ્થાવાળા તેને ઇંદ્ર જેવા પરાક્રમવાળા ચકીએ વિદ્યા નિગડે કરીને વડવૃક્ષની સાથે દીન પશુની જેમ બાંધ્યું. પછી રાત્રિ થઈ એટલે ત્યાં પિતાના આરક્ષકોને રાખી લંકાપતિ શતકંઠ રાજાના સિન્યને આશ્વાસન આપી પિતાની સેનામાં આવી નિઃશંક થયેલા ચક્રીએ નિદ્રાનું સુખ લીધું. તે વખતે શતકંઠ રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગે કે – અહો ! સર્વ જીવ પિતે જ કરેલા કર્મવડે આલેક અને પરલેકમાં આવાં દુખે. સહન કરે છે. તે વખતે ધ્યાનમાં રહેલા આ રાજવીને મેં મૂઢ પરાભવ ન કર્યો હોત તે આ દુઃખ મને પ્રાપ્ત થાત નહીં. તેથી તેમાં મારો જ દોષ છે. જેમ આ કરેલું દુષ્ટ કર્મ તત્કાળ ફળદાયી થયું, તે જ રીતે આરંભાદિક વડે બાંધેલાં કર્મો પણ જરૂર ફળદાયક થશે, તેથી આ મહા આરંભવાળા રાજ્યને ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરું.” એ પ્રમાણે વિચારી ધીર બુદ્ધિવાળા તેણે તત્કાળ પિતાના મસ્તકને પંચમુષ્ટિ લેચ કર્યો. તત્કાળ તે ભાવમુનિને શાસનદેવતાએ તેના બંધને છેદીને મુનિવેષ આપે. એટલે તે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારે સાધુ થયા. પછી સર્વને વિષે સમદષ્ટિવાળા તે રાજર્ષિ તે જ ઠેકાણે કાત્સર્ગે રહ્યા. “તેજ ભવમાં સિદ્ધિ પામનારા ધીર પુરૂષને વિષે આ શતકઠમુનિ મહા પરાક્રમી હતા.” પ્રાતકાળે આ વૃત્તાંત રક્ષકો પાસેથી જાણી વિસ્મય પામેલા ચક્રીએ બને સૈન્ય સહિત ત્યાં આવી તે મુનિને નમસ્કાર કર્યા. તે મુનિની સ્તુતિ કરી તથા તેને ખમાવી ચકીએ લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં શતકંઠ રાજાના પુત્ર શ્રીકંઠે ચક્રીની આજ્ઞા અંગીકાર કરી, એટલે ચક્રીએ તેને લંકાના રાજ્યપર સ્થાપન કર્યું. શ્રીકંઠે તેને સર્વ ગુણવાળી સે કન્યાઓ આપી. તેની સાથે તે હર્ષથી પરણ્યો. પછી તેણે તે દ્વીપના બીજા સર્વ રાજાઓને લીલામાત્રથી જ જીતી લીધા. ત્યારપછી સર્વ સ્ત્રીઓને લઈ તે ચકી વૈતાઢય પર્વત પર ગયે, ત્યાં દક્ષિણ એણિમાં એક મેટા સરવર ઉપર રહ્યો. તે સરેવરમાં વિદ્યાધર રાજાઓની ઉત્તમ રૂપવાળી ૧ વિઘાથી વિમુલી બેડી વડે અથવા વિદ્યાપી બેડી વડે.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy