SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પડે તૃતીય સ. ભગરી તરફ ચાલ્યું. ચર પુરૂષાથી તેને આવતે જાણી લંકાપતિએ પિતાની નગરીની તરફ વિદ્યાએ કરીને સાઠ જન પ્રમાણ અગ્નિને કીલે કર્યો. અજાણ્યા માણસ ન જઈ શકે એવા તે કીલ્લાને વિષે અથડાઈને બળતા એવા અગ્રસૈનિકે એ પાછા વળી તે વૃત્તાંત ચકીને નિવેદન કર્યો. ત્યારે તે બેચરે જવાલિની વિદ્યાવડે અગ્નિને બુઝાવી તે કીલ્લાને વજના મુદ્દગરવડે માટીના વાસણની જેમ ભાંગી નાંખે. કીલે ભાંગીને નગરમાં આવતા ચકાયુધ રાજાને જાણી અત્યંત ગર્વિષ્ટ શતકંઠ રાજા મોટા સિન્ય સહિત તેની સામે નગર બહાર નીકળે, પછી બાહુબળવડે અત્યંત ઉન્મત્ત થયેલા સુભટને જાણે ઉત્સવ હોય તે તે બને સન્યને જગતને ભય કારક એ ઘોર સંગ્રામ થશે. તે વખતે એક ક્ષણવારમાં સુભટનાં શસ્ત્રસમૂહથી પાડી નાંખેલા હાથી, અશ્વ અને દિલ સૈનિકે એ કરીને તે રણભૂમિ યમરાજની કીડભૂમિ જેવી થઈ ગઈઆ પ્રમાણે ઘેર યુદ્ધ થતાં લંકાપતિનું સૈન્ય ભાંગ્યું, ત્યારે શતકંઠ રાજા પોતે જ પિતાના સૈન્યને ધીરજ આપી લડવા ઉભે થે. જ્યારે મેઘની જેવા ઉન્નત વીર શતકંઠ રાજાએ બાણની વૃષ્ટિ કરી ત્યારે જાંબુના ફળની જેમ સુભટોના મનના ગર્વ ગળી ગયા. મેટે હાથી જેમ કેળના વનને ભાંગી નાખે તેમ તે શતકંઠ રાજાએ શત્રુનું સૈન્ય ભાંગી નાખ્યું, ત્યારે ચકાયુંધ પિતે ક્રોધથી યુદ્ધ કરવા ઊભા થયા અને બોલ્યા કે— હે વીર! પહેલાં ધ્યાનમાં રહેલા મેં તારું બળ અનુભવ્યું છે, તે બળને અત્યારે ફરીથી કંકયુદ્ધમાં તું પ્રગટ કર.” ઇત્યાદિ મર્મસ્થાનને ભેદનારાં વચને બોલતા તે ચકીને શતકંઠરાજાની સાથે ઘેર યુદ્ધ થયું. તે બન્નેના સૈન્ય તેમના યુદ્ધનું આશ્ચર્ય જેવાથી યુદ્ધ કરવું ભૂલી ગયા અને તેમના કરેલા બાણમંડપવડે સૂર્યને તાપ ઢંકાઈ જવાથી સુખે - કરીને રહ્યા. હવે ચકાયુધ બાણવડે લંકાપતિનું ધનુષ છેદી નાંખ્યું, ત્યારે તે નવું ધનુષ લઈ યુદ્ધ કરવા લાગ્યો. તેને પણ ચકીએ છેદી નાંખ્યું. એ પ્રમાણે ચકધરે શતકંઠ રાજાના સાત ધનુષ છેદી નાંખ્યાં. ત્યારે બાણ સાંધવા વિગેરેની ક્રિયા કરવામાં અશક્ત થયેલે તે શતકંઠ રાજા અત્યંત વિહળ થશે. પછી શતકંઠ રાજાએ ચકાયુધ ઉપર વિદ્યાવડ વિકલા હજારે સર્પ મૂક્યા. તે ભયંકર સપને તત્કાળ તેણે ગરૂડવિઘાવડે ત્રાસ પમાડ્યો. ત્યારપછી શતકંઠ રાજાએ કોધથી આગ્નેય વિગેરે વિદ્યાશ મૂક્યાં. તે સર્વને ચકીએ પ્રતિશસ્ત્રવડે શીધ્રપણે નિરસ્ત કર્યા. ત્યારપછી બળવાન લંકાપતિ રાજાએ કોધથી લેહને હજારભારને મુગર ચકાયુધના માથામાં માર્યો. તે મુદ્દેગર પણ ચકીને તથા પ્રકારનો ૧ અગ્નિ છોડે તેવા. ૨ સામા શસ્ત્રવડે જેમ અગ્નિશસ્ત્રની સામે વરૂણ અસ્ત્ર વિગેરે.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy