________________
પર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સૈન્ય લઈને યુદ્ધ કરવા નીકળે. બન્ને સિન્ય વચ્ચે યમરાજના ઉત્સવ સમાન ભયંકર સંગ્રામ થયે. વીર પુરૂષોમાં રત્ન સમાન શ્રીચંદ્ર રાજાએ વિદ્યાધર રાજાનું સૈન્ય ભાંગી નાખ્યું. ત્યારે તે જોઈને અત્યંત ક્રોધ પામેલે ચકી તેની સાથે યુદ્ધ કરવા લાગે. તેમાં ચકીએ શ્રીચંદ્ર રાજાનું ધનુષ, બખ્તર અને માથાનો ટેપ વિગેરે ભાંગી નાંખી તેને અત્યંત વ્યાકુળ કરી નાખ્યા. ત્યારે તેણે પૂર્વે આરાધેલા દેવનું સ્મરણ કર્યું. તરત જ તે દેવ આવ્યો, તેને શ્રીચંદ્ર કહ્યું કે
વિદ્યાધરેંદ્રને બાંધીને મને આપ.” દેવે કહ્યું—“તે ચકી અધિક ભાગ્યવાન છે તેથી તેને પરાભવ હું કરી શકું તેમ નથી. માટે બીજું કાંઈ કામ હોય તે કહે.” રાજાએ કહ્યું—“તે મને ગુરૂની પાસે મૂક. હું દીક્ષા ગ્રહણ કરું, કે જેથી આ ભવ અને પરભવમાં પણ હું બીજાથી થયેલા પરાભવને જેઉં નહીં.” (જેવાને વખત આવે નહીં) ત્યારે તે દેવે પોતાની શક્તિથી ચકીનાં શાનું સ્થંભન કરી શ્રીચંદ્ર રાજાને ઉપાડી તે નગરના ઉદ્યાનમાં રહેલા ગુરૂ પાસે મૂક્યો. પ્રથમથી જ સંવેગ પામેલે રાજા ગુરૂની વાણીથી વિશેષ સંવેગ પામે, તેથી તે જ ભવમાં સિદ્ધ થનારા તે ધીર રાજાએ સર્વ સંગને ત્યાગ કરી તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી.
અહીં ચક્રીએ પિતાના શસ્ત્ર ખલના પામવાથી તથા તે શ્રીચંદ્ર રાજાને પિતાની સન્મુખ રહેલે નહીં જેવાથી વિસ્મય પામી તેનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી વિદ્યાધર સેવકોને મેકલ્યા. તેઓએ જઈ આવીને તેનું સત્ય સ્વરૂપ કહ્યું, એટલે વિસ્મય પામી સૈન્ય સહિત ચકીએ ઉદ્યાનમાં જઈ ગુરૂને અને તે રાજર્ષિને વંદના કરી. તે વખતે તે રાજાનું આવું સત્ત્વ જોઈ તેના મંત્રી વગેરે પાંચસો જનોએ ગુરૂના વચનથી પ્રતિબોધ પામી ભેગની સ્પૃહા રહિત થઈ હર્ષથી દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળી તે રાજાની અંતઃપુરની પાંચસો રાણુઓ ત્યાં આવી, અને ગુરૂના વચનથી પ્રતિબોધ પામી તે સર્વેએ પણ પ્રવજયા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિને ખમાવી શકીએ તેના પુત્રને રાજ્યપર સ્થાપન કર્યો, અને તેની જ વાણીથી તે આઠે કન્યાઓને પરણી ચકી પિતાની નગરીએ ગચો.
એક દિવસ ચક્રીએ વિચાર્યું કે–“ભૂચર રાજાઓમાં આ એક શ્રીચંદ્ર જ મહા બળવાન હતું. તેને જીતવાથી બીજા સર્વ રાજાએ જીતાયા જ છે. તે હવે ફેગટ કીડાને કુટવાથી (મારવાથી) શું ફળ છે? હવે તે મહા બલિષ્ઠ વિદ્યાધરેંદ્રોને જ જીતવાની જરૂર છે.” એમ વિચારી શતકંઠ રાજાના અપરાધનું સ્મરણ કરી તે ચક્રી કોધથી લંકા
(US
:
ઉત..::૭ લાજે