________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. अहल्यायां जारः सुरपतिरभूदात्मतनयां, प्रजानाथोऽध्यासीदभजत गुरोरिन्दुरबलाम् । इति प्रायः को वा न पदमपदेऽकारि न मया ।
श्रमो मदाणानां क इव भुवनोन्माद (थ) विधिषु ॥ १६१ ॥ કામદેવ કહે છે કે-ઇંદ્ર અહલ્યા નામની તાપસીને જાર થયે, બ્રહ્માએ પિતાની પુત્રીની ઈચ્છા કરી અને ચંદ્ર બૃહસ્પતિની સ્ત્રીનું સેવન કર્યું. આ રીતે પ્રાયે કરીને મેં કેને અસ્થાને (અયોગ્ય સ્થાને) પગલું નથી ભરાવ્યું ? ત્રણ ભુવનનું મથન કરવાની વિધિમાં મારા બાણને કયે શ્રમ લાગે તેવું છે ? કાંઈ જ શ્રમ નથી.” (આ પ્રમાણે પ્રબોધ ચંદ્રોદય નામના નાટકમાં કામદેવનું વચન છે.)
અથવા તે સર્વ દેષ નાસ્તિકમતિ પુરોહિતને જ છે, કે જેણે આ મુગ્ધ (ભેળા) રાજાને વિવિધ પ્રકારના દુષ્ટ પ્રપંચવડે ભમાવ્યો છે. કહ્યું છે કે-દુષ્ટ માણસ સપુરૂષના હૃદયમાં પ્રવેશ કરે છે તે જ વખતે તેના હૃદયને ફાડી નાખે છે, કારણ કે દૂધની અંદર કાંજ પડવાથી તે દૂધ હજાર પ્રકારે ફાટી જાય છે. પરંતુ ધર્મને જાણનારા મારે બીજાને દેષ કે બીજા પર રેષ કરે એગ્ય નથી. કારણ કે સર્વ કોઈને પિતાનું કરેલું કર્મ જ સુખ દુઃખને આપનાર છે. કહ્યું છે કે
किं कषायकलुषं कुरुषे स्वं, केषुचिन्ननु मनोऽरिधियाऽऽत्मन् ।
कर्मतोऽधिकममी न ददन्ते, तच्च मूढ विहितं भवतैव ॥१९५॥
હે આત્મા ! કેટલાક પ્રાણીઓ ઉપર શત્રુની બુદ્ધિ રાખીને તું તારા મનને કષાયવડે કલુષિત શામાટે કરે છે ? કારણ કે તેઓ તારા કર્મથી અધિક દુઃખ આપી શક્તા નથી, અને તે કર્મ તે હે મૂઠ ! તે પોતે જ કરેલાં છે.”
હમણાં રાજા વિપરીત થવાથી મારું રક્ષણ કરનાર કોઈ નથી અને બન્ને પ્રિયાઓના શીળની રક્ષા ઉપાય પણ કાંઈ સૂજતો નથી. તેથી અત્યારે તે ચિરકાળથી આરાધે જૈનધર્મ જ અમારું શરણું છે. કારણ કે તે ધર્મનું શરણ અંગીકાર કરનારને દેવતાઓ વાંછિત અર્થ આપનારા થાય છે. ધર્મ અંગીકાર કર્યાના દિવસથી આરંભીને આજ સુધી કઈ પણ વખત મેં મનવડે પણ શીળ અને સમકિતની કાંઈ પણ વિરાધના ન કરી હોય તે મારી વિપત્તિ શીવ્ર નાશ પામે.”
આ પ્રમાણે વિચાર કરી સર્વવડે યુક્ત એ તે મંત્રી કાર્યોત્સર્ગો રહ્યો. તત્કાળ
જ