________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અહો ! શુદ્ધ બ્રાહ્મણના કુળમાં હુ ઉત્પન્ન થયો છું, તેપણુ રાજાના માનથી ગર્વિષ્ઠ થયેલા આ મંત્રીએ મને ચંડાળ બનાવ્યો. પહેલાં આ મંત્રીએ રાજાદિકની સમક્ષ રંકની જેમ મારે પરાભવ કર્યો હતો, તે જ પૂર્વે કરેલો મારો મેટો પરાભવ આજે તેણે જીવતો કર્યો-તાજો કર્યો. તે પરાભવને આ પ્રમાણે (મુંગે મોઢે) સહન કરવાથી હું અધમ પુરૂષપણાને પામ્યો છું. પરંતુ માની પુરૂષ પ્રાણ ત્યાગ કરે છે, પણ પરાભવને સહન કરતા નથી. કેમકે– वरं प्राणपरित्यागो, न मानपरिखण्डनम् । प्राणनाशात् क्षणं दुःखं, मानभङ्गादिने दिने ॥१॥
પ્રાણ ત્યાગ કરવો સારો છે, પણ માનનું ખંડન થાય તે સારું નથી, કેમકે પ્રાણના નાશથી એક ક્ષણવારજ દુઃખ થાય છે, અને માનના ભંગથી તે હમેશાં દુઃખ થાય છે.?
શાસ્ત્રમાં પણ કહ્યું છે કેपादाहतं यदुत्थाय, मूर्धानमधिरोहति । समानादपमानेऽपि, देहिनस्तद्वरं रजः ॥१॥
” “જે રજ (ધૂળ) મનુષ્યના પગવડે હણાવાથી ઉડીને મસ્તક પર ચડી જાય છે, તે રજ અપમાન પામ્યા છતાં પણ સમતાને ધારણ કરનાર પ્રાણીથી વધારે શ્રેષ્ઠ છે.” અર્થાત્ અપમાન સહન કરનાર મનુષ્ય રજથી પણ હલકો છે.
अवन्ध्यकोपस्य निहन्तुरापदां, भवन्ति वश्याः स्वयमेव देहिनः। अमर्षशून्येन जनस्य जन्तुना, न जातहार्देन च विद्विषा दरः॥१॥
જેને કેપ સફળ હોય છે અને જે આપત્તિને હણે છે, તેવા પુરૂષને પ્રાણીઓ પિતાની મેળે જ વશ થાય છે, અને જે પ્રાણુ ક્રોધ રહિત હોય છે તે કદાચ મિત્ર થયે હોય તો લેક તેને આદર કરતા નથી, અને જે તે શત્રુ થયું હોય તો લેક તેનાથી ભય પણ પામતા નથી.”
તેથી મારે મારું તેજ બતાવવું યોગ્ય છે, પણ પરાભવ સહન કરવો તે ચોગ્ય નથી; કારણ કે કાદવનું સૌ કોઈ પગવડે મર્દન કરે છે, પણ તેજસ્વી અગ્નિનું કઈપણ મર્દન કરતું નથી. તેજસ્વી અપરાધી હોય તે પણ સર્વજને તેના જ મુખ સામું જુએ છે, કારણ કે ઘરને દાહ કર્યા છતાં પણ અગ્નિ કેને ગ્રહણ કરવા લાયક નથી ? (તેને કોણ ગ્રહણ કરતું નથી ?) તેથી કદાચ મારી લક્ષ્મી અને પ્રાણ પણ જાય તો સુખે કરીને જાએ, પરંતુ કઈ પણ ઉપાયથી હું આ મંત્રીને અનર્થ તો ઉત્પન્ન કરીશ; કારણ કે ઉપાયથી સમુદ્ર તરી જવાય છે, ઉપાયથી સિંહ અને હાથી બંધાય