________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર રાજાની વાણીથી જાણે વીંછીથી ડસા હોય તેમ પીડા પામેલે વસુસાર પુરહિત અવસર જાણીને બોલ્યા કે—“હે સ્વામી ! આ ધૂર્ત શ્વેતાંબરે પિતેજ કુશાસ્ત્રવડે ઠગાયા છે, તેથી તેઓ ઈન્દ્રજાળ વિગેરેની કળાવડે આ મુગ્ધજનને ઠગે છે. માત્ર ખોટા અભિમાનથી લોકમાં પૂજાવા-મનાવાની ઈચ્છાવડે જ પ્રાપ્ત થયેલા ભેગોને ત્યાગ કરાવે છે અને વિવિધ પ્રકારના તપ કરાવે છે. કારણ કે જ્યાં જીવજ નથી, ત્યાં પુણ્ય-પાપ તે કયાંથી જ હોય ? વળી પટેલેકને અભાવ હોવાથી તે પુણ્ય–પાપનું શુભાશુભ ફળ કયાં મળે ? તેથી કરીને પાપથી ઉત્પન્ન થતા પલકના દુઃખના ભયથી આ લેક ફેગટજ ભય પામે છે અને પુણ્યથી થતા પરલેકના સુખને મેળવવા માટે ફગટ કલેશ પામે છે.
આ જગત જેટલું ઈન્દ્રિયને પ્રત્યક્ષ છે તેટલું જ છે. હે મનહર નેત્રવાળી! તું ખા અને પી. હે શ્રેષ્ઠ શરીરવાળી ! જે ગયું તે તારૂં નથી. હે બીકણ! ગયેલું પાછું આવતું નથી. આ કલેવરશરીર માત્ર પંચ મહાભૂતના સમુદાય રૂપ જ છે. તેથી પરલેકના સુખની આશાવડે આ ભવમાં પ્રાપ્ત થયેલા સુખને ત્યાગ કરી તપ કરનાર મનુષ્ય શિયાળની જેમ બનેથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે–જેમ શિયાળ પ્રાપ્ત થયેલા માંસને કાંઠે મૂકી માછલાને મેળવવા શીધ્રપણે દેડ્યો, તેમાં માછલાએ તત્કાળ જળમાં પ્રવેશ કર્યો અને માંસને ગીધ પક્ષી લઈ ગયો. તે જ પ્રમાણે આ ભવમાં પ્રાપ્ત થયેલા વિષયસુખને ત્યાગ કરી જેઓ પહેલેકના સુખના લાભ માટે દેડે છે, તે મનુષ્યો બને લેકના સુખથી ભ્રષ્ટ થઈ તીવ્ર તપ અને વ્રતાદિકવડે કષ્ટ ભોગવી પિતાના આત્માને જ છેતરે છે એ આશ્ચર્ય છે.
આ પ્રમાણે કર્ણને વિષે સોયના જેવું પુરોહિતનું વચન સાંભળી ગંભીરતાથી ક્રોધને દબાવી રાજાએ મંત્રીના મુખ તરફ દષ્ટિ નાંખી. ત્યારે સર્વ વિદ્વાનમાં અગ્રેસર એવા મંત્રીએ તે પુરોહિતને કહ્યું કે
હે મૂઢ! પિતાના અનુભવથી સિદ્ધ થઈ શકે તેવા જીવને તું કેમ એળવે છે? જેમકે શરીર દુઃખી હોય તે વખતે પુત્રના જન્માદિકનું સુખ ભગવાય છે તે કોણ ભગવે છે? અને શરીર સુખી હોય તે વખતે પુત્રાદિકના મરણાદિકનું દુઃખ આવે તે પણ કોણ ભેગવે છે? મારૂ શરીર સ્થળ છે અથવા કૃશ છે ઈત્યાદિક સ્વસ્વામીભાવ સંબંધની જે બુદ્ધિ થાય તે જ રાજા અને તેની પૃથ્વીની જેમ જીવ અને તેના શરીરને ભેદ સ્પષ્ટ રીતે જ બતાવે છે. આ રીતે શાશ્વત જીવ સિદ્ધ થવાથી પરલેક સિદ્ધ થાય છે, ( ૧ સ્વ એટલે શરીર વિગેરે વસ્તુ અને સ્વામી એટલે તેને સ્વામી જીવ.