________________
થી સગર પ્રીતિથી આવવા લાગી, અને તે રતિસુંદરીના ચિત્તને પ્રસન્ન કરવા માટે એક પુણ્યને જ પ્રતિપાદન કરનારી તથા વિસ્મયને વિકસ્વર કરે તેવી ધર્મકથા જ કહેવા લાગી.
વળી ઘણે કાળ ગયા પછી પ્રથમની જેમ ધર્મકથાની વચ્ચે વચ્ચે તે માયાવી સ્ત્રી જાણે કામની કીડાવડે ખીલાઈ ગઈ હોય એવી વાણીને બોલવા લાગી. તેમ જ તે પોતાને ઘેર આવીને પુરૂષને રૂપે રહેતી ત્યારે તે અત્યંત સરળ પ્રકૃતિવાળી રતિસુંદરીને વશ કરવાના ઉપાયો વિચારવા લાગી. વળી સારા સારા સંસ્કાર કરી અદ્દભુત અને અપૂર્વ એવી ઘણી વસ્તુઓ મોકલવા લાગી, અને તેને હર્ષ આપવા માટે લાંબા કાળ સુધી મેહના ગીત પણ ગાવા લાગી. અંતઃકરણમાં કામવડે અત્યંત પીડા પામેલી હોવાથી તેણની સ્ત્રીરૂપ સરદત્તની ધર્મબુદ્ધિ નાશ પામી ગઈ એટલે તે નિરંતર રતિસુંદરીનું જ ધ્યાન કરવા લાગી; તેથી તેણીના શરીરની કાંતિ પણ ઝાંખી થવા લાગી. આ રીતે થવાથી પોતાના સ્વામીને દ્રોહ થાય છે તેને પણ તે ભૂલી ગઈ તથા તેની સુધા, તૃષા અને નિદ્રા પણ જતી રહી. રતિસુંદરીની સાથે રતિસુખના નિર્વિઘ ઉપાયને પિતાની બુદ્ધિ પ્રમાણે વિચારતી તે પિતાના આત્માને બુદ્ધિમાન માનતી છતી વિવિધ પ્રકારની વિપરીત ચેષ્ટા કરવા લાગી.
આ પ્રમાણેની તેણીની વિપરીત ચેષ્ટાઓ જોઈને તેમ જ જાણીને શુદ્ધ બુદ્ધિવાળી સતી રતિસુંદરીએ વિચાર કર્યો કે—“આ સ્ત્રી હમેશાં અહીં જેવાં ગીત ગાય છે, તેવાં જ ગીત પાસેના ઘરમાં પુરૂષના મુખમાંથી સંભળાય છે. વળી જ્યારે આ સ્ત્રી અહીં આવે છે ત્યારે કોમળ અંગવાળી અને મૃગલી સરખા નેત્રવાળી મને જોઈને તે તત્કાળ ચિત્તમાં કામથી આકુળવ્યાકુળ થઈ જાય છે; તેમ જ તેણીના કંઠને સ્વર, ગતિ, અંગનાં લક્ષણો અને ચેષ્ટા વિગેરે સર્વ પ્રગટપણે પુરૂષના જેવાં જ જણાય છે, એમાં કોઈપણ સંશય રહે તેમ નથી. હું સ્ત્રીપણાએ કરીને તેની સામે દષ્ટિ કરું છું, પણ ખરી રીતે તે સ્ત્રી દેખાતી નથી, કઈ પણ કારણથી આ કઈ પુરૂષ જ માયાવડે સ્ત્રીરૂપ થયેલ જણાય છે, એટલે કામથી પીડા પામેલો કોઈક દુરાચારી આ પુરૂષ હોવો જોઈએ. . વળી તે મારા શિલવ્રતને નાશ કરવાની ઇચ્છાવાળો હોય તેમ પણ દેખાય છે. તેથી પિતાનું આવું મલિન હૃદય દેખાડતો આ સર્વ પ્રકારે અપરાધી જ છે, માટે તેને મારે સમય આવે ત્યારે અવશ્ય નિગ્રહ કરે તે એગ્ય છે.” આ પ્રમાણે સતીઓમાં અગ્રેસર એવી રતિસુંદરી વિચાર કરીને તેવા સમયની રાહ જોવા માટે પ્રથમની જેમ જ વિનદનાં વચનોવડે તે માયાવી સ્ત્રીને પ્રીતિ દેખાડવા લાગી.
જ.-૫૬