SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રથમ સગર, * મુનિ બોલ્યા કે—“હે મંત્રી ! સર્વ ધર્મને વિષે કૃત, શીલ અને દયાના ગુણવડે શ્રેષ્ઠ એક જૈનધર્મ જ ઈષ્ટ વસ્તુને આપનાર છે. તે ધર્મનું મૂળ તત્વને વિષે શ્રદ્ધા કરવી તે લક્ષણવાળું સમકિત જ છે અને તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મસ્વરૂપવાળું ત્રણ પ્રકારનું કહેલ છે. સમકિત પ્રાપ્ત થયા પછી સારા ભાગ્યથી જ વિરતિ પ્રાપ્ત થાય છે, તે વિરતિ બે પ્રકારની છે. સર્વથી અને દેશથી. તેમાં પહેલી જે સર્વવિરતિ તે શાંતિ આદિક દશ પ્રકારની માનેલી છે. અને બીજી જે દેશવિરતિ તે જિનેશ્વરેએ સ્થળ અહિંસા આદિક બાર પ્રકારની કહી છે. તેમાં પહેલી સર્વવિરતિ સાધુને યોગ્ય છે, અને બીજી દેશવિરતિ ગ્રહસ્થીઓને એગ્ય છે.” આ રીતે મુનિએ સ્વરૂપ, ફળ અને સાધન વડે વિસ્તારથી ધર્મ કહ્યો, તે સાંભળી પ્રતિબંધ પામેલા મંત્રીએ કહ્યું કે-“હે પૂજ્ય ! ધીર પુરૂષ સાધી શકાય તેવો પહેલો મુનિ ધર્મ ધારણ કરવા હું શક્તિમાન નથી, તેથી મોક્ષના સાધનરૂપ ગ્રહસ્થધર્મ મને આપ.” ત્યારે મુનિએ તેને સમકિત સહિત બાર વત આપ્યાં, તથા તેને છ આવશ્યક અને દાનાદિ ગુણે પણ શીખવ્યા. તે મંત્રી કલ્પવૃક્ષતુલ્ય સર્વ અંગ સહિત ધર્મને પામી હર્ષિત થયા અને પિતાના આત્માને કૃતાર્થ માની મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયે. તેજ પ્રમાણે પ્રતિબોધ પામેલી તે મંત્રીની બંને પ્રિયાએ પણ સંવેગથી ગ્રહસ્થ ધર્મ અંગીકાર કરી તે ષિને નમસ્કાર કરી પિતાને ઘેર ગઈ | મુનિની અવજ્ઞા કરવાથી ઉપાર્જન કરેલું પાપ તે ત્રણે જણાએ નિદા, ગહ અને આલેચનાવડે ઘણું ખપાવ્યું, તે પણ કાંઈક અવશેષ રહ્યું. ધર્મરૂચિ શ્રાવક અને બીજા લેક પણ શક્તિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી મુનિને નમી હર્ષ પામી તિપિતાને ઘેર * ગયા. ત્યાં મહિનાના ઉપવાસ કરી માસક૫ રહેલા તે મુનિની સેવા કરવાથી અને શ્રાવક મિત્રના સંગથી બંને પ્રિયા સહિત તે મંત્રી સર્વ શ્રાવકોમાં અગ્રેસર છે. પ્રથમથી જ અન્ય શાસ્ત્રોને જાણનારે તે મંત્રી અનુક્રમે જૈનશાસ્ત્રને અભ્યાસ કરી જીવાદિક તત્વોનો જાણનાર છે, અને બને ભાર્યા સહિત તે જૈનધર્મને અનુસરતી સર્વ ક્રિયાઓમાં કુશળ છે. તે શ્રેષ્ઠ મંત્રીની બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થોને વિષે પણ ખલના પામતી નહોતી, તેને અંગીકાર કરેલા ધર્મથી દેવતાઓ પણ તેને ચલાયમાન કરી શકતા નહોતા, અને અન્ય મતના વાદીઓ સાથે વાત કરી તેમની જયલક્ષ્મીવડે તે અરિહતના શાસનને અત્યંત દીપાવત હતો. પછી એક માસ સુધી મુનિની સેવા કરવાવડે છેવટે પારણાનો દિવસ જાણી મંત્રીએ *
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy