________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અહીં ભજન કરવાનાં છ કારણે કહ્યાં છે તે આ પ્રમાણે—સુધા વેદના સહન ન થઈ શકે તે આહાર કરે ૧, આચાર્ય, બાળ, વૃદ્ધ અને પ્લાન આદિકની વૈયાવચ્ચે કરવાના હેતુથી આહાર કરે ૨, ઈર્યાસમિતિની શુદ્ધિ માટે આહાર કરે ૩, સંયમનું પાલન કરવા માટે આહાર કરવો ૪, જીવિતવ્યની રક્ષા કરવા માટે આહાર કરે છે, તથા ધર્મધ્યાનને સ્થિર કરવા માટે આહાર કરે ૬, આ છે કારણે આહાર કરવાની જરૂર છે, તે સિવાય આહાર કરે તે કારણભાવ એટલે અકારણ દોષ લાગે છે. આ પાંચ આહાર કરતી વખતના દે છે. સર્વ મળીને ૪૭ દોષ છે.”
હે મંત્રી ! તમેએ આ સર્વ સ્વરૂપ નહીં જાણવાથી (મારાપર) ફેગટ ક્રોધ કર્યો અને આક્રોશ કર્યા, પરંતુ સર્વત્ર સમાન દષ્ટિવાળા મેં તે સર્વ સહન કર્યું છે. ”
આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળીને તે શ્રાવક અને મંત્રીએ કહ્યું કે–“હે મુનિરાજ ! આ સર્વ તે અમે જાણ્યું, પરંતુ તમે મોદક ગ્રહણ ન કર્યા, તેનું કારણ અમારા જાણવામાં આવ્યું નથી તે કહો. ત્યારે મુનિ બોલ્યા કે–“રાત્રિને સમયે દાસીઓ ઉત્તમ પદાર્થો વડે તે માદક બનાવતી હતી, તે વખતે ચૂલા પર રહેલા ઘીના તાવડામાં ઉપર ઉલેચાદિક બાંધેલ નહીં હોવાથી ધૂમવડે વ્યાકુળ થયેલા ઉંચે રહેલા સર્પના મુખમાંથી તીવ્ર વિષ તેમાં પડ્યું છે, તેથી તે મેદકે વિષમય થયા છે, તેની કેઈને ખબર પડી નથી, અને મેં તે મારા આત્માના તથા સંયમના ઘાતક હોવાથી તે લીધા નથી.”
આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળી મંત્રીએ તત્કાળ તે દકે દાસી પાસે ત્યાં જ મંગાવ્યા, અને તપાસ કરતાં એક માદક પર બેઠેલી માખી મરવાની તૈયારીવાળી જોઈ તેણે વિચાર્યું કે –“અહો ! આ મુનિનું જ્ઞાન અદ્ભુત છે ! આ વિષમેદિક ખાવાથી સમગ્ર કુટુંબ સહિત મારૂં મરણ થાત, તેનાથી આ મુનિએ મને બચાવ્યો છે. તે સેંકડો ઉપકાર કરીને પણ હું આ મુનિને અનુણી શી રીતે થઈ શકું? અથવા તે આ મુનિ પોતે જ આખા વિશ્વના ઉપકારી છે, તેમનો ઉપકાર શું કરે ?
પછી મિત્ર શ્રાવકના કહેવાથી જેમ જીવને ઘાત ન થાય તેમ તે વિષાદકોને તે મંત્રીએ યતનાથી દાસીઓ પાસે પરઠાવ્યા પછી મંત્રીએ ભક્તિથી નમસ્કાર કરી મુનિને કહ્યું કે –“હે પૂજ્ય ! તમે અમારા પ્રાણદાતા છે તેથી તમે જ અમારૂં શરણ છે, તથા સર્વ પ્રાણીઓનું પણ શરણ તમે જ છે. આજે અમારા પર આ એક મેટો. ઉપકાર કર્યો છે, તો હવે સમ્યગૂ ધર્મ બતાવીને અમારા મેહરૂપી અંધકારને દૂર કરે.”
It' irta