SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રથમ સંગ નિંઘ કે પોતે નિષેધ કરેલા અચિત્ત પદાર્થથી મિશ્રિત થયેલે પિંડ દેતાં અથવા ગ્રહણ કરતાં ઍક્ષિત દેષ લાગે છે ૨, પૃથ્વીકાય આદિ છકાય ઉપર સ્થાપન કરેલ અચિત્ત પિંડ પણ દેતાં અથવા લેતાં નિક્ષિપ્ત દોષ લાગે છે ૩, ફળ આદિ સચિત્ત વસ્તુથી ઢંકાયેલી વસ્તુ દેતાં અથવા લેતાં પિહિત દેષ લાગે છે ૪, દેવાના પાત્રમાં રહેલી કાંઈક બીજી વસ્તુને સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકી તે પાત્રા વડે દેતાં અથવા લેતાં સંહત દેષ લાગે છે ૫, બાળ, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતે, અંધ, મન્મત્ત, હાથપગ વિનાને, બેડીમાં નાંખેલે, પાદુકા ઉપર ચડેલ, ખાંસીવાળો, ખાંડનાર, પીસનાર, ભુજનાર, કાપનાર, પીંજનાર, દળનાર, ફાડનાર, તેડનાર વિગેરે વિરાધક મનુષ્ય પાસેથી તેમજ ગણિ , તેડેલા છોકરાવાળી તથા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેતાં દાયક દેષ લાગે છે , સચિત્ત ધાન્યના કણથી મિશ્રિત સાકર વિગેરે વસ્તુ દેતાં અથવા લેતાં ઉન્મિશ્ર દેષ લાગે છે ૭, પૂર્ણ અચિત્તપણે પામ્યા વિનાની વસ્તુ દેતાં અથવા લેતાં અપરિણત દોષ લાગે છે ૮, અકલ્પ્ય વસ્તુથી લેપાયેલા પાત્ર કે હસ્તવડે દેતાં કે લેતાં લિપ્ત દેષ લાગે છે, તથા પૃથ્વી ઉપર ઘી આદિનાં ટીપાં પડતાં હોય એવી રીતે દેતાં અથવા લેતાં છર્દિત દેષ લાગે છે કારણકે તેવી રીતે કરતાં ત્યાં રહેલા અને બીજા આગંતુક જીવોની પણ મધુબિંદુના ઉદાહરણની જેમ વિરાધના થાય છે ૧૦. આ દશ એષણાના દે છે. (૧૯૦) આ પ્રમાણે કુલ બેંતાળીશ દેષ જાણવા. હવે ગ્રાસેષણાના પાંચ દેષ કહે છે – संजोअणा १, पमाणे २, इंगाले ३, धूम ५, कारणे ५, पढमा। वसहिबहिरंतरे वा, रसहेज વર્ષના છે ? .. સંજના નામનો પહેલે દેષ, તે સારો સ્વાદ કરવાના હેતુથી વસતિ (ઉપાશ્રય) ની બહાર અથવા અંદર આવીને માંડા વિગેરે દ્રવ્યની સાથે ઘી વિગેરે દ્રવ્યને સંગ કરવાથી લાગે છે ૧, જેટલો આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ તથા મન, વચન અને કાયાના વેગને બાધા ન આવે તેટલે આહાર કરે જોઈએ તેથી વધારે આહાર કરે તે પ્રમાણતિરિક્તતા નામનો બીજે દેષ લાગે છે ૨, સ્વાદિષ્ટ અન્નના અથવા તેના દાતારના વખાણ કરતો આહાર કરે તે તે સાધુ રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી કાઠેને અંગારારૂપ કરે છે તેથી તે અંગાર દોષ કહેવાય છે ૩, આહારની કે તેના દાતારની નિદા કરતો ભેજન કરે તો તે ચારિત્રરૂપ કાષ્ઠને બાળી ધૂમાડારૂપ કરે છે તેથી તે ધૂમ દેષ કહેવાય છે જ, કારણ વિના ભેજન કરે તે કારણભાવ નામનો પાંચમે દેષ લાગે છે. પ.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy