________________
કરે
શ્રી જ્યાન કેવળી ચરિત્ર સાઓ ગોઠવ્યા, તેથી જાણે કુમારરાજના પ્રતાપથી જીતાયેલા સર્વ કપના મનુષ્યો તેની સેવા કરવા આવ્યા હોય એવો ભાસ થવા લાગે. વેપારી જનોએ ઉંચા સ્તંભ ઉપર રેશમી વ, સુવર્ણ, માણિજ્ય અને મતિના હાર લટકાવી દુકાનેને શણગારી. રત્નની પૃથ્વી પર મણિ, સુવર્ણ અને મેતીના સાથીઆ પુરવામાં આવ્યા, તે જાણે કે કલ્યાણ અને સૌભાગ્યની લક્ષ્મીવાળા રાજાની રક્ષા કરવાના યંત્ર હોય તેવા શોભતા હતા. શ્રી જયાનંદ રાજાના યશવડે ઉજવળ થયેલા આકાશમાં રંગ કરવા માટે જ હોય તેમ ઉંચા સ્તંભેપર મૂકેલા મનહર ધુપધાણાએ ધુમાડાના સમૂહને છોડવા લાગ્યાં. સ્થાને સ્થાને કેળના સ્તંભ ઉપર પુષ્પોની માળાઓ લટકાવી તેથી જાણે કામદેવની રાજધાની હોય તેમ તે સર્વ નગર સુગંધમય થઈ રહ્યું
આ રીતે શેભા કરાવીને તે ખેચરચકીએ પરિવાર સહિત રાજા પાસે જઈ તેમને પરિવાર સહિત પિતાના નગરમાં આવવા વિનયથી આમંત્રણ કર્યું, એટલે તેની ગેરવતા અને પ્રાર્થનાના વશથી તેના નગરમાં પ્રવેશ કરવાને ઈચ્છતા કુમારરાજ કરોડો વિદ્યાધરો સહિત તેના નગર તરફ ચાલ્યા. તે વખતે કૈલાસ પર્વત પર આરૂઢ થયેલા શંકરની જેમ વેત હસ્તીપર આરૂઢ થયેલ તે રાજા સેવા કરવા આવેલે જાણે ચંદ્ર ન હોય એવા શ્વેત છત્રવડે શોભતા હતા, તેને ચારેતરફ વિદ્યાધરીઓની શ્રેણિ ચામરો વીંઝતી હતી, તેથી જાણે કે તેને યશથી જીતાયેલા ક્ષીરસમુદ્ર તેને પિતાના તરંગો ભેટ કર્યા હોય તેમ તે ચામરે શેભતા હતા.
વાગતા એવા કરેડ વાજિંત્રો વડે આકાશ શબ્દમય થઈ ગયું હતું, તેથી “આ રાજા જગતને જીતનાર છે.” એમ જાણે સર્વ દિશાઓ કહેતી હોય તેવું ભાસતું હતું. દેવોની જેવા વિદ્યાધરોથી આખું આકાશ વ્યાપ્ત થઈ ગયું હતું, તેથી જેમ કીર્તિએ કરીને તે રાજાએ આકાશ અને પૃથ્વીની ઐકયતા કરી તેમ તે રાજા વિદ્યાધવડે આકાશ અને પૃથ્વીને એકરૂપજ કરી દેતા હોય એમ લાગ્યું.
આ રીતે તે કુમાર ચાલ્યા, તે વખતે વિદ્યાધર, બંદીજન અને ગવૈયાઓ તેમના ગુણેની સ્તુતિ કરતા હતા, ચારેબાજુ વિદ્યાધરીઓ તેના ધવળગીત ગાતી હતી, તે શ્રીજયાનંદરાજા વિસામા રહિત સ્થાને સ્થાને નાટકની શ્રેણિએ જતા હતા, જયધ્વનિને સાંભળતા હતા, કલ્પવૃક્ષની જેમ અર્થીઓને વાંછિત દાન આપતા હતા, છત્ર ચામર સહિત, હસ્તી પર આરૂઢ થયેલા યુવરાજની જેવા ખેચરચક્રીએ કરીને તે રાજામહારાજાની જેમ શેલતા હતા, દેવડે ઇદ્રની જેમ પવનવેગાદિક વિદ્યાધરવડે યુક્ત એવા તે રાજા