SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયાનંદ કેવી ચરિત્ર તેનું બખ્તર ભેદી શરીર વધી પૂર્વની રીતે જ તેને રથ ભાંગી રૂધિરથી વ્યાપ્ત થયેલા તેને પૃથ્વી પર લટાવ્યો ત્યારે ફરીથી પણ વિદ્યાના બળથી પ્રાપ્ત થયેલા નવા બખ્તર, ધનુષ અને રથને ધારણ કરી કે ધથી દુધર્ષ એ તે ચકી દુર્ધર યુદ્ધ કરવા લાગે. ત્યારે પણ તેજ પ્રકારે રાજાએ તેને શીધ્રપણે બાવડે હણી તેનો રથ ભાંગી ઝરતા રૂધિરવાળા તેને પૃથ્વી પર પાડી દીધો. એ પ્રમાણે રાજાએ તેનો એકવીશ વાર પરાભવ કર્યો, તે પણ તે રણસંગ્રામથી વિરામ પામે નહિ. “અહો ! વરવ્રત પાળવાનો આગ્રહ આશ્ચર્યકારક છે.” હવે રાજાએ ચકવતીના રથને આ પ્રમાણે ભાગેલા જોઈ સૂર્ય પિતાના રથને પણ ભાંગી નાંખશે એમ જાણી ભયથી અસ્તાચળ પર જઈને અદશ્ય થયો. તેથી બને સૈન્ય પિતાપિતાના સ્વામીના આદેશવડે રણસંગ્રામથી વિરામ પામ્યા અને છાવણીમાં આવી. પ્રથમની જેમ પીડાયેલા દ્ધાદિકને તથા શસ્ત્રાદિકને સજજ કર્યા. હવે ચકીએ પિતાને સ્થાને આવી પિતાના પુત્રના બંધનથી શકાતુર થઈ તેમના મેક્ષના ઉપાય માટે પિતાના મંત્રીઓને પૂછયું. ત્યારે તેઓએ ખેચરચકીને પરિણામે હિતકારક એવું વચન કહ્યું કે હે સ્વામી! જેણે તમારા કુમારેને બાંધી લીધા તે શ્રીજયાનંદ રાજા પિતેજ સંભવે છે, તે કોઈ સ્ત્રી નથી. તે હવે મુગટ અને કંકણને ધારણ કરવા સંબંધી તેવા પ્રકારનો તમારો કદાગ્રહ મૂકી છે, અને કન્યાને આપીને અથવા ન આપીને પણ તમે તમારા દુર્વાચન સંબંધી માફી માગો. તે રાજા ઉત્તમ અને કુપાળુ હોવાથી તમારા પુત્રોને મુક્ત કરશે, અને તમારા રાજ્યની તેને સ્પૃહા નહિ હોવાથી તે પિતાને કૃતાર્થ માની પિતાને સ્થાને ચાલ્યા જશે.” આવું મંત્રીઓનું વચન સાંભળી પિતાની કરેલી પ્રતિજ્ઞા મૂકવાને નહિ ઈચ્છતા એવા તે અભિમાની શકીએ તેઓને રજા આપી. પછી એક દૂતને સારી રીતે શીખવી પવનવેગ પાસે મોકલ્યો. તેણે જઈ પવનવેગને કહ્યું કે–“હે શ્રેષ્ઠ પુરૂષ! ચકી તને આજ્ઞા આપે છે કે–તારા જમાઈએ મારા પુત્રે બાંધ્યા છે એમ મેં લેકેથી જાણ્યું છે. તેથી હવે સંધિ કરીને તું તેનાથી બંધાયેલા મારા પુત્રોને છોડાવ. તે તારા જમાઈને હું પાંચસો કન્યા સહિત મારી કન્યાને આપીશ, તથા અર્ધવૈતાઢયનું રાજ્ય આપીશ. માત્ર સાત જ દિવસ તેણે મારે આપેલે મારા નામવાળો મુગટ ધારણ કરવો. આ પ્રમાણે કરવાથી જીંદગી પર્યત આપણે પ્રીતિ રહેશે.” આ પ્રમાણે દૂતનું વચન સાંભળી પવનવેગે જઈ રાજાને તે વૃત્તાંત કહ્યું, અને તેમણે આપેલે ઉત્તર અંગીકાર કરી દૂત પાસે આવીને તેણે કહ્યું કે – E - -- - - - --
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy