SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ કૅટર શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પછી જ્યારે સેનાપતિ તેને ગ્રહણ કરવા જતા હતા ત્યારે સેનાપતિને કુમારરાજના સેનાપતિ વવેગે માણેાવડે છાતીમાં વીંધી નાખ્યો. તે વખતે તેના ખાણાથી વ્યથા પામેલા તે સેનાપિત ભાગરિતને મૂકીને ક્રોધવડે વાવેગની સાથે યુદ્ધ કરવા દોડયો. તે બન્ને સેનાપતિએ પરસ્પર ખાણેાવડે યુદ્ધ કરતા હતા, તે વખતે ‘ કેાને વરૂં ?” એવા સશય થવાથી જયલક્ષ્મી બન્નેની વચ્ચે આવીને ઊભી રહી. હવે અહીં મને ચંદ્રબાહુના ધનુષ્ય વગેરે છેદી તેને શસ્ત્ર રહિત અને શ્રમિત કરી નાગપાશવડે બાંધી લીધા. પછી તે ચંદ્રબાહુને ગ્રહણ કરવા ઉદ્યમી થયા, તેટલામાં તેને ચંદ્રગતિએ રૂ ંધ્યા, ત્યારે તે પણ તેની સાથે શીઘ્ર યુદ્ધ કરવા લાગ્યા. એ જ પ્રમાણે તપને મહાબાહુને ખાણેાવડે પીડિત કરી ખાંધ્યા, અને પછી તેને ગ્રહણ કરતા તેને ચદ્રોદય રાજાએ રૂ ધ્યેા. તે બન્નેને માણેાવડે ઘાર સગ્રામ થયા. તેને જોઈ દેવે પણ ભય પામ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. તે જ પ્રમાણે ઉગ્ર પરાક્રમવાળા ભીમે ચંદ્રવેગને બાંધ્યા, અને સૂર્ય જેવા પ્રતાપવાળા પ્રતાપે ચંદ્રચૂડને ખાંધ્યા. પછી પરસ્પર ગ્રહણ કરતા તે બંનેને ચ'ડ અને ભીષ્મે રૂબ્યા, અને તે ધનુરાને પરસ્પર માણેાવડે યુદ્ધ થયું. તે જ પ્રમાણે દૈવયેાગથી રત્નચૂડ ડિદ્વેગ અને ચદ્રાભને અનુક્રમે અક્ષોભ, કાસર અને રમણે આંધ્યા. તેમને ગ્રહણ કરતા તેઓને અનુક્રમે ખાણેાની વૃષ્ટિ કરતા ચિત્રવી, મહાવીય અને ભદ્રવીરે રૂંધ્યા. આ પ્રમાણે કર્મના વશથી બધાયેલા જીવાની જેમ શત્રુઓએ બાંધેલા તે આઠે મિત્રાને પવનવેગે શીઘ્રપણે લઈ કુમારરાજને સેાંખ્યા; એટલે સેવકવત્સલ કુમારે તત્કાળ ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશ છેઢી ઔષધિના જળવડે તેમને સજ્જ કર્યા. આ રીતે તે નરનાથના હસ્તસ્પના પ્રભાવથી પહેલાંના કરતાં પણ અધિક બળ, ઉત્સાહ, તેજ અને ધૈર્યાદિક સંપત્તિને તેઓ પામ્યા. ‘ પત્થરો પણ સૂર્યના કિરણેાના સ્પર્શથી શુ તેજસ્વી નથી થતા ?' પછી તે આઠે મિત્ર પ્રથમના પરાભવથી ઉત્પન્ન થયેલા ક્રોધથી ફરી યુદ્ધ કરવા દોડયા. હવે તે બન્ને સેનાપતિઓને યુદ્ધમાં તત્પર જોઈ અને સેનાના સર્વ સૈનિકા વિશેષે કરીને યુદ્ધમાં પ્રવર્ત્યા. દૂર સુધી જનારા વીરેાના ખાણા જાણે જ્યાતિષી દેવાને પતપેાતાના સ્વામીના શૌય ગુણા કહેવા જતા હાય તેમ ચાતરફ આકાશમાં પ્રસર્યાં, વીરાના ખાણા વૈરીઓનાં શરીર ઉપર સફળપણે પડવા લાગ્યાં. કારણ કે ૧મા ા પામવા લાયક અલ્પ દ્રવ્યને પણ તજતા નથી, તેા લક્ષનેર કેમ તજે ? ૧ યાચક અને બાણુ. ૨ લાખ અને નિશાન.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy