SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શ્રી જયાનંદ કેવળ ચરિત્ર આશાથી શરીરમાં અર્ધા પિઠેલા બાવડે પાંખવાળા થયેલા હોય તેવા શુભતા હતા. વીરેના બાણથી ભેદાયેલા વિમાનના અવયવો આકાશમાંથી નીચે પડતા હતા, તે જાણે કે તુષ્ટમાન થયેલા દેએ વરસાવેલા પુપે હોય તેવા શોભતા હતા. પહેલે દિવસે બેચરચકીના યોદ્ધાઓ ભગ્ન થયા હતા તેથી ઉત્પન્ન થયેલા અધિક ક્રોધવાળા તેઓએ વિવિધ શોની વૃષ્ટિ કરી એવું યુદ્ધ કર્યું કે જેથી કુમારરાજના સૈનિકે ચારેબાજુથી ભગ્ન થયા, અને સમુદ્રની ભરતીથી હણાયેલા નદીના પ્રવાહની જેમ તેઓ પાછા હઠડ્યા. તેમને પાછા હઠતા જોઈ ભેગરતિ વિગેરે ખેચરપતિ આઠે મિત્ર ક્રોધથી ઉદ્ધત થઈ પિતા પોતાના સિન્ય સહિત યુદ્ધ કરવા ઊભા થયા. કોધથી તે વીરોએ તરફ એવી બાણની શ્રેણિ મૂકી, કે જેથી મોટા વીરેને પણ આશ્ચર્ય ઉત્પન્ન થયું. જેમ ગર્જના કરતા મેઘવડે પુષ્કર જાતિને મૃગ તિરસ્કાર પામે તેમ વીરેએ નિરંતર મૂકેલા બાણોની વૃષ્ટિવડે શત્રુનું સૈન્ય તિરસ્કાર પામ્યું. સુભટેના આવતા બાણને કેટલાક વીરેએ નિપુણતાથી ચુકાવ્યાં, તેથી તે બાણાએ સીધા જઈ પર્વત સાથે અથડાઈ પાછા વળીને છેડાવડે તે મૂકનાર શત્રુને જ હણ્યા. જેમ ગુરૂની વાણી પુરૂષની મિથ્યાત્વરૂપી આળસને છેદી તેના હૃદયમાં પ્રવેશ કરે, તેમ સુભટના બાણે શત્રુઓના બખ્તરરૂપી ચામડીને ભેદી તેમના હૃદયમાં પેઠાં. જેમ ગુરૂની વાણી દબુદ્ધિ જનના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી જાય, તેમ કેટલાએક વીરના બાણ પડખે નેત્ર રાખીને ઊભેલા શત્રુના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી ગયાં. જેમ પુરૂષની વાણી બળ પુરૂષના એક રૂંવાડાને પણ ભેદી ના શકે, તેમ કેટલાક મેટા બેલથી પણ મૂકેલા સુભટોના બાણેએ વીર શત્રુઓનું એક રૂંવાડું પણ ભેળું નહિ. નેત્રને યુદ્ધ જેવાની ઇચ્છા છે, અને મન ભયથી નાશી જવા ઈચ્છે છે, તેમ આકાશમાં વીરના બાણ જવાથી દેવામાં પણ પરસ્પર વિચારોનો વિરોધ થયે એટલે વીરેના બાણે આકાશમાં જવાથી દેનાં નેત્રોને યુદ્ધ જોવાની ઈચ્છા હતી અને મનને ભયથી નાશી જવાની ઈચ્છા હતી, તેથી દેવામાં પણ માનસિક વિરોધ થયે-અવ્યવસ્થિત પણું થયું. * હવે જેમ પ્રલયકાલને વાયુ ઉડાડેલી રજવડે દિશાઓને ઢાંકી દે, તેમ તે ભેગરતિ વિગેરે આઠે મિત્રોએ ફેંકેલા બાવડે શત્રુઓ અને દિશાઓને પણ ઢાંકી દીધી. તે ધુરંધર વીરે યુદ્ધ કરતા હતા ત્યારે કેટલાક શત્રુઓને મદ સહિત રથના બખ્તર ભાગી ગયાં, કેટલાકના પ્રબળ ભુજ સહિત વ પડી ગયા, કેટલાકના મનોરથ -- >
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy