SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમા સ કેમકે સ અશુભ ફળનુ કારણ પાપ જ છે. આવા ઘાર સંગ્રામમાં પણ પુણ્યના પ્રભાવથી કેટલાકે અક્ષત અંગવાળા રહી શત્રુઓના નાશ કર્યો અને જયને પામ્યા; કેમકે સ શુભ ફળને વિષે પુણ્ય જ હેતુભૂત છે. Poe ત્યારપછી પૂર્વે થઇ ગયેલા વીરાને યશ મેળવવાને ઈચ્છતા, જય મેળવવામાં આસક્તિવાળા, સ્વામીના ગ્રાસનું અનૃણપણું અને પેતાના કુળના ઉદ્યોત કરવાને ઈચ્છિતા, ક્રોધ, ઈર્ષ્યા અને અભિમાનને વશ થયેલા, શત્રુઓને વશ કરનારા અને વિવિધ આયુધવડે ભયંકર એવા વીરે અનેક પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. તેમ કેટલાક વીરા સારથી સહિત શત્રુના યોદ્ધાને હણી કૃપાવડે અશ્વોને જીવતા રાખી તેના જ રથવડે શત્રુના સુભટો તરફ ચાલ્યા. કેટલાક સુભટો ગથી શસ્ર ગ્રહણ કર્યા વિના જ પાતાંના બે હાથવડે શત્રુના પગ પકડી તેમને પરસ્પર અફળાવીને હણવા લાગ્યા. અન્ને પક્ષના સૈનિકો કુકડાની જેમ આકાશમાં ઉડતા અને નીચે પડતા પરસ્પરના ખાણેાવડે હણાઈને પૃથ્વીપર પડવા લાગ્યા. ગથી કેટલાક સુભટાએ મદ ઝરતા હાથીઓને આકાશમાં ઉછાળ્યા, તે વખતે તે હાથીઓ જાણે હાડકાંને વહન કરનારા વાંદળાં હેાય તેમ આકાશમાં આમ તેમ ભમવા લાગ્યા. કેટલાક વીા ગદા વિગેરે શસ્રોવડે શત્રુના રથાને ભાગી તેના જ ચક્રોવડે શત્રુના વિનાશ કરવા લાગ્યા, તે વખતે ઘણા ચક્રરૂપ શસ્ત્રવાળા જાણે ઘણા ચક્રવર્તીએ હાય તેમ જણાવા લાગ્યું. ભુજના ગ`થી ઉદ્ધૃત થયેલા કેટલાક વીરાએ શત્રુના હાથીએને આકાશમાં ઉછાળ્યા, તે હાથીઆએ પતના શિખરની જેમ પડતાં પડતાં રથા, સનિકા અને અશ્વાદિકને પીસી નાખ્યા. આવા મહા ઘાર રણસંગ્રામમાં કુમારરાજના સૈનિકોએ ખેચરચક્રવતીના અગ્રસૈનિકાને તત્કાળ ભાગી નાખ્યા. સમુદ્રની ચડતી ભરતીની જેમ ખેચરચક્રીની સેના કેટલીક ભૂમિ સુધી જઈ શત્રુથી પરાભવ પામીને પાછી હઠી. તે વખતે કુમારના સૈન્યમાં ચારેબાજુથી જયના વાજિંત્રા વાગવા લગ્યાં; અને જયની પ્રાપ્તિથી હર્ષ પામેલા સુભટો ઘાંઘાટ કરવા લાગ્યા. પોતાના સમાન નામવાળા શત્રુના શૂરવીરાના રણમાં પરાભવ થયા, તે જોવાને અસમર્થ થયેલા શૂર સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પડડ્યો. ત્યારપછી પોતપેાતાના સેનાપતિની આજ્ઞાથી સવ વીરા યુદ્ધના ત્યાગ કરી જેમ પક્ષીઓ માળામાં જાય તેમ પાતપેાતાની છાવણીમાં ગયા. ત્યારપછી કુમારે કૃપાવડે કંઠે રહેલા પ્રાણવાળા સૈનિક, હાથી અને અશ્વાદિક કે જેએ રણભૂમિમાં પડેલા હતા અને શસ્ત્રના ઘાતથી પીડા પામતા હતા, તેમને પોતાના જ.-૪૮
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy