________________
તેરમો સગે.
૩૭ * યુદ્ધાઓ પિતે ભૂખ્યા નહિ છતાં બીજા દ્ધાઓએ કરીને જાણે યમરાજની સુધા હણવાને ઈચ્છતા હોય તેમ તે ચોદ્ધાઓએ ખાદ્ય અને સ્વાઘાદિક પદાર્થોવડે ગાડાં વિગેરે ભરીને સજજ ક્ય. સુભટોએ ઔષધિ ભરેલી ગુણીવાળા બળદોને તૈયાર કર્યા. ‘સપુરૂષે ઉત્સુક હોય તો પણ સ્વપરના ઉપકારમાં આવે તેવી ચીજને સાથે રાખવાનું ભૂલતા નથી.”
વિવિધ પ્રકારના તપ, જપ, મુદ્રા, આસન અને યોગને સાધવાવડે પણ જે ગતિ પ્રાપ્ત થતી નથી, તે ગતિને આ દ્ધાઓ સ્વામીના હિતને માટે કે મનુષ્યના રક્ષણને માટે સંગ્રામ રૂપી અગ્નિમાં પિતાના પ્રાણ હેમીને પ્રાપ્ત કરે છે. જેઓ રણસંગ્રામમાં શત્રુઓને પિતાની પીઠ આપે છે–નાસી જાય છે અને પિતાના કુળને અપયશ આપે છે, તેઓને નટની જેમ વિવિધ પ્રકારનાં શસ્ત્રોના શ્રમથી શું ફળ છે?
આ જગતમાં બંને ભવ સંબંધી ઉત્તમ ફળ આપનારું યુદ્ધ જેવું કંઈ પણ તીર્થ નથી; કેમકે તે યુદ્ધમાં જીવતા રહે તે લક્ષ્મી તથા યશ મળે, અને મરી જાય તે જલદીથી સ્વર્ગનું સુખ મળે. દીવો એક ક્ષણવાર જ પ્રકાશ કરી શકે છે, સૂર્ય દિવસે જ પ્રકાશ કરી શકે છે અને ચંદ્ર રાત્રીએ જ પ્રકાશ કરી શકે છે; પરંતુ યુદ્ધમાં પરાકમથી ઉત્પન્ન થયેલી કીર્તિ તો યુગાંત કાળ સુધી રહેવાથી દેદીપ્યમાન રહે છે.
આવા ઉત્સાહ, પરાક્રમ, સ્વામીભક્તિ અને પ્રજાના હિત કરવાથી દેવ તમારા વિઘોને દૂર કરી તમને જય આપશે.” આ પ્રમાણે વીરોની સ્તુતિ કરતા અને પિતાના વાંછિત અર્થને કહેતા ભાટ ચારણને તે સુભટે ઈચ્છિત દાન આપી પ્રસન્ન કરતા હતા. આ પ્રમાણે ભાટે ચારણોએ આપેલી પૂજ્ય આશીષ અને શુભ શુકન વિગેરેવડે યોદ્ધાઓ બમણુ ઉત્સાહ અને શક્તિવાળા થઈ યુદ્ધ કરવા ઉત્કંઠિત થયા. - હવે સ્ત્રીરૂપધારી કુમારરાજના સૈન્યમાં રણસંગ્રામ નિમિત્તે બખ્તર વિગેરે ધારણ કરીને નીકળેલા મહા કીતિવાળા કેટલાક સુભટનું નામ ગ્રહણ કરવા પૂર્વક કર્તા
હું કીર્તન કરું છું. રણસંગ્રામના જ એકરસીયા વાવેગ સેનાપતિ વિગેરે હજારે વીરે બશ્વર ધારણ કરી સિંહ જોડેલા રથમાં બેઠા, ઘણા બળવડે ગર્વિષ્ઠ થયેલા ચંદ્રોદય વિગેરે ખેચર હર્ષવડે યુદ્ધને માટે બખર ધારણ કરી વાઘ જડેલા રથમાં બેઠા, શત્રુના સુભટને તૃણ સમાન ગણતા પવનવેગ વિગેરે વિદ્યાધરો હાથીથી જોડેલા રથવડે યુદ્ધના કાર્ય માટે જલ્દી તૈયાર થયા, ભેગરતિ વિગેરે ખેચર રાજાઓ શસ્ત્રોથી ભરેલા
'IIIll.
નWW//BIT.