________________
૩૬૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર છે, કારણ કે જે ક્ષત્રિયપુત્ર હય, તે આપે કહેવરાવ્યું હતું તેવા પ્રકારનું મુગટ અને કંકણનું બંધન કેમ સહન કરે ?
આવું વિચાર વિનાનું ગર્વથી કહેલું વચન પણ પરિણામે દુઃખકારક થાય છે. હે સ્વામી ! આ પ્રમાણે અમે ચિન્હાવડે અને અમારી બુદ્ધિવડે જાણીએ છીએ. આ કુમારના કાર્યો લેકથી ગવાતા ગીતમાં સંભળાય છે કે –
શ્રીવિશાળ નામના રાજાને તેણે બુદ્ધિ અને પરાક્રમવડે રંજન કર્યો છે, તેણે ગિરિમાલિની વિગેરે દેવીઓને વશ કરી છે, સાક્ષાત્ જાણે યમરાજ હોય તેવા ગિરિચૂડ નામના દેવને તેણે લીલામાત્રથી જ જીત્યો છે, તે બલવાને મલયમાલ નામના ક્ષેત્રપાળને પરાજય કર્યો છે, દેવતાઓએ તેને અનેક પ્રકારનાં અલંકાર અને ઔષધિઓ આપી તેની પૂજા કરી છે. તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કોટિ સુભટોના સૈન્યવાળા પદ્મરથ નામના નાસ્તિક રાજાને જીતી, બધી તથા વાંદર બનાવી તેની વિડંબના કરી છે.
કીડાથી વામન રૂપ ધારણ કરી રાજકુમારોને જીતી કલાવડે જીતાયેલી શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને તે પરણ્ય છે, ચોસઠ ગિનીઓથી ક્ષેભ પામ્યા વિના મહાવિદ્યાને સાધી તે યોગિનીઓ પાસેથી બળાત્કારે તે વીરે વજાવેગને મૂકાવ્યો છે, મહાજવાળા, કામાક્ષા અને ગિનીઓએ તેની પરીક્ષા કરી તેની ઉપર તુષ્ટમાન થઈ તેને ભક્તિથી દિવ્ય શસ્ત્રો અને શક્તિઓ આપી છે, તથા સાત્વિકને વિષે અગ્રેસર એવા તેણે વાકુટ ગિરિને ભાગી વજમુખ દેવને જીતી ચંદ્રગતિની પ્રિયાને પાછી લાવી આપી છે.
તે આ ત્રણ જગતમાં મલ્લસમાન સ્ત્રીનું રૂપ ધારણ કરનાર કુમારરાજ કેઈથી જીતી શકાય તેવો નથી, એમ હે રાજન! તમે અવશ્ય જાણે, અને પ્રસન્ન કરવા લાયક એવા તેને તમે કોઇ ન પમાડે. વળી પુત્રી તે બીજા કોઈને પણ આપવાની જ છે, તે પછી આવો વર બીજે મળશે નહિ; માટે મુગટ અને કંકણની વાત ભૂલી જઈ તેને તમારી કન્યા આપે.
તમારા કહેવાથી પવનવેગ પિતાના સ્વાર્થને માટે તેને પ્રાર્થનાપૂર્વક તમારી પાસે લાવશે, તેથી તે કન્યાઓને પરણી તમારા પર સ્નેહવાળો થઈ પિતાના રાજ્યમાં જ રહેશે. આમ કરવાથી પવનવેગ વિગેરે જે તમારા પ્રથમથી જ સેવકે છે તે વિશેષ કરીને તમારા ઉપરજ એકાંત પ્રીતિવાળા થશે. માટે હે રાજન ! અવસરે નીતિને માન આપી નિર્ભયપણે રાજ્ય ભોગવે. રાજાઓને સિંહાદિક ધાપદોની જેમ એકાંત શૌર્ય દેખાડવું એ હિતકારક નથી.”