SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ તેરમા સર્ગ બુદ્ધિને તમે ધારણ કરો અને હું ભક્તવત્સલ ! અમુક કારણથી થયેલા એમના આ અપરાધને સહન કરે. ” આ પ્રમાણેના સદુપદેશવાળા તેના મધુર વચનના સમૂહવડે તે ખેચરચક્રીને કાપાગ્નિ કાંઈક શાંત થયા, તેથી તે ખેલ્યા કે આવી મધ્યવયમાં હું કામના વશવર્તીપણાને લીધે તે સ્ત્રીને માણું છું એમ નથી, પરંતુ હું આજ્ઞાને ભંગ . સહન કરી શકતા નથી. આજ્ઞાભગ એ સ્વામીના શસ્ત્ર વિનાના વધ કહેલા છે. તા હવે રાજ્ય અને જીવિતની ઈચ્છાથી પવનવેગે તથા જીવવાને ઈચ્છનાર તેના જમાઈ એ આ પ્રમાણેની મારી આજ્ઞા પાળવી, તે એ કે— આ પવનવેગ પેતાની પુત્રીના બન્ને હાથમાં આ ચક્રાયુધની દાસી છે. ’ એવા અક્ષરોના ચિન્હવાળા કંકણુ નિર'તર પહેરાવે, અને તેના જમાઈ · આ ચકાયુધની દાસીને પતિ છે' એવા અક્ષરોએ અંકિત મારા આપેલા મુગટને નિર'તર મસ્તકપર ધારણ કરે; તથા તે વસુંદરી અહિં આવી મારી ચક્રસુદરી નામની પુત્રીને નાચ કળા શીખવે. પછી મારા આપેલા કંકણુ પહેરીને તે અહિથી પાછી જાય. આ પ્રમાણે કરવાથી તેમને રાજ્ય, જીવિત અને સુખ પ્રાપ્ત થયેલું રહેશે, અન્યથા નહિ રહે. હવે તું કંઈપણ અધિક બેલીશ નહિ; કેમકે આજ્ઞારૂપી જ ધનવાળા હું આજ્ઞાભંગને સહન કરી શકીશ નહિ.” આ પ્રમાણેની તેની વાણી સાંભળીને તે પંડિત અને પ્રધાને બીજી કઈ ગતિ નહિ હાવાથી તેનુ વચન અંગીકાર કરીને પોતાના નગરમાં પાછા ગયા અને તેઓએ પવનવેગને અને શ્રીજયાનંદ રાજાને ચક્રાયુધને સવૃત્તાંત નિવેદન કર્યા. ત્યારપછી પવનવેગ, શ્રીજયાનંદ રાજા અને મ`ત્રીએ એકાંતમાં બેસીને આ કા સંબંધી વિચાર કરવા લાગ્યા. તે વખતે શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે— “ ચક્રાયુષે કહેલું સં અંગીકાર કરો, કેટલાક કાળ સુધી વજ્રસુંદરીને અહિ જ ગુપ્ત રાખા. હું વાસુંદરીનુ રૂપ ધારણ કરીને કેટલીક સ્ત્રીઓના પરિવાર સહિત ચક્રાણુધ પાસે જઈ તેની કન્યાને ભણાવીશ; તથા બીજી' પણ જે કાંઈ ઉચિત કરવા લાયક હશે તે સહું ચાગ્ય રીતે કરીશ. છેવટ હું તમને અહી... જ આવીને મળીશ. તમારે કોઇએ મારી કાંઈ પણ ચિંતા કરવી નહિ. "" આ પ્રમાણે નિણ ય કરીને તેએ તે ખેચરચક્રવર્તીના પ્રધાન પુરૂષો ત્યાં કર્યાં. ત્યારે તેઓએ પવનવેગને કહ્યું સવ પોત પોતાને સ્થાને જવા લાગ્યા, તેટલામાં આવ્યા. તેમને પવનવેગે ઉચિત ભક્તિવડે પ્રસન્ન કે—‹ ચક્રધર તમને આજ્ઞા કરે છે કે જે મે
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy