SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર થયેલા પાપવડે નરકાદિકના ભવમાં પૂર્વે તે જે જે પ્રકારનાં દુઃખને સમૂહ ભેગ છે તે સાંભળ.” એમ કહી મુનિની વાણીવડે જાણીને ચંદ્રગતિએ તેનું જે ચરિત્ર કહ્યું હતું, તે સર્વ ચરિત્ર રાજાએ તેના હિતને માટે તેને કહી સંભળાવ્યું. તે સાંભળી પિતાના કષ્ટમય ભાનું સ્મરણ કરી તે દેવે દુઃખના ભયને છેદવા માટે જાણવાની ઈચ્છાથી રાજાને વિશુદ્ધ ધર્મ પૂક્યો, ત્યારે રાજાએ તેને દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ ટુંકામાં જણાવ્યું. એટલે પ્રતિબંધ પામેલા તે દેવે તેની વાણીવડે સમકિત અંગીકાર કર્યું. પછી દેવ અને ગુરૂ વિગેરેની પૂજા કરવાનો નિયમ લઈ તે દેવે રાજાને કહ્યું કે– ધર્મને બોધ આપનાર તમારે હું કોઈપણ રીતે ત્રણ રહિત નહિ થાઉં; કેમકે સમકિતના દાન જેવું બીજું કઈપણ દાન નથી, કે જે બેધિ આપવાથી પ્રાણ. મેક્ષ સુધીના સર્વ સુખની લક્ષ્મીનું પાત્ર થાય છે. તે પણ બેધિ આપનારા તમને હું મારી શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છું છું.” એમ કહી દેવે તે નરરત્નને ચિંતામણિ રત્ન આપ્યું; તથા જે વિદ્યાનું સ્મરણ કરવાથી પિતાનું અને અન્યનું જેવું રૂપ કરવાની ઈચ્છા હોય તેવું રૂપ કરી શકાય તથા પિતાના ઘણા રૂપે પણ કરી શકાય તેવી કામિતરૂપ નામની વિદ્યા તેણે સાધન અને વિધિ સહિત આપી. તે બને વિધિપૂર્વક ગ્રહણ કરી' રાજાએ હર્ષથી તે દેવની સ્તુતિ કરી કે – હે દેવ ! તને ધન્યવાદ ઘટે છે કે જેથી તે પરસ્ત્રીને ત્યાગ કર્યો અને થોડા જ ઉપદેશથી બોધિરત્નને પામે.” આ પ્રમાણે તેની પ્રશંસા કરી રાજાએ તેને ખમાવ્યું, અને ચંદ્રગતિની સાથે તેની મૈત્રી કરાવી. પછી રાજાએ તેની અધ્યદિકવડે પૂજા કરી એટલે તે દેવ પરિવાર સહિત અદશ્ય થયો. પછી રાજાએ ચંદ્રગતિને તેની ચંદ્રમાળા પ્રિયા સેંપી, ત્યારે તે હર્ષ પામીને બોલ્યા કે—“હે નાથ ! ચાલે, મારી સાથે આવી મારી કન્યાનું પાણિગ્રહણ કરો.” તે સાંભળી કુમારરાજ શ્રીજયાનંદે “અવસરે આવીશ” એમ કહી ચંદ્રગતિને રજા આપી, એટલે તે પણ રાજા વિગેરેને નમસ્કાર કરી જવા તૈયાર થયું. તે વખતે તેને પવનવેગે કાનમાં કહ્યું કે હે મિત્ર ! મારી કન્યાના પાણિગ્રહણ વખતે તું તારી કન્યાને પણ ત્યાં લાવજે.” પછી ચંદ્રગતિ રાજાને નમી પ્રિયા સહિત પિતાને સ્થાને ગયે. ત્યાં રાજાને વૃત્તાંત સાંભળી સર્વ વિદ્યાધરએ મોટા ઉત્સવો કર્યા. અહીં શ્રીજયાનંદ રાજાએ પિતાને
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy