SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરંતુ અહીં હું રહું છું, તે તું જાણતો નથી ? ” તે સાંભળી કુમારરાજ બેલ્યા કે— હે મૂર્ખ ! ઔષધિને હરણ કરી બિલમાં પેઠેલા ઉંદરની જેમ પરસ્ત્રીનું હરણ કરી બિલમાં પેઠેલે તું મારાથી શી રીતે છૂટી શકીશ? અરે અધમ દુષ્ટ દેવ ! હમણાં આ પૃથ્વી મારાવડે રાજાવાળી છે, તે તું જાણતા નથી ? કે જેથી આવી અન્યાયની ચેષ્ટા કરે છે? તું શીધ્રપણે ચંદ્રગતિની પત્નીને પાછી સોંપી દે, અથવા મરણને શરણ થા. આ મારે મુદ્ગર પર્વત ભાંગવામાં પણ જે અખલિત છે, તે તારૂ પણ ચૂર્ણ કરી નાખશે.” તે સાંભળી પેલે દેવ અતિશય કોલ કરીને બે કે –“હે મનુષ્યના બાળક ! સિંહ પાસેથી મૃગલીને મૂકાવાને ઇચ્છતા મૃગની જેમ મારી પાસેથી તે સ્ત્રીને મૂકાવવા ઈચ્છતે તું મરણ પામ્ય જ છું એમ જાણ.” આ પ્રમાણે બોલી તે દેવ મુગરને ઉપાડી કૂમારરાજને હણવા માટે દેડ્યો. તે - જોઈ પવનવેગ વિગેરે સર્વે ભય પામી રાજાની પાછળ સંતાઈ ગયા. તત્કાળ શ્રી જયાનંદકુમાર વિદ્યાવડે તે દેવના પરિવારને સ્તબ્ધ કરી દઈ વાના મુદ્દેગરને લઈ શીવ્ર તેના તરફ દેડયા. પરસ્પર મુદુગરના પ્રહારોથી ઉત્પન્ન થયેલા શબ્દવડે આકાશને ફાડી નાખતા બને દ્ધાઓએ ચિરકાળ સુધી મુગરવડે યુદ્ધ કર્યું. રાજાએ પોતાના મુદુગરવડે તે દેવના મુદુગરનું ચૂર્ણ કરી નાખ્યું, ત્યારે તે જાજવલ્યમાન ખગ. ઊંચું કરી કધથી તેની તરફ દો . રાજાએ સૂર્યહાસ ખગના કકડા કરી નાખ્યા. ધીર પુરૂષ વક્ર થાય ત્યારે દેવ પણ શું કરી શકે ?” પછી ગદા, ત્રિશૂળ વિગેરે વિવિધ પ્રકારના દિવ્ય શોવડે તથા નાગપાશ વિગેરેવડે તે બન્ને યુદ્ધ કરવા લાગ્યા, તે સર્વ યુદ્ધમાં શ્રીજયાનંદ જ જય પામ્યા, “જેને વિષે સમકિત તથા શ્રેષ્ઠ શિયળ વ્રત હોય છે, તેવા ઉત્કૃષ્ટ શ્રાવકને જીતવા ઇંદ્ર પણ સમર્થ થઈ શકતું નથી, ત્યાં આવે દેવ તે શી રીતે જ શક્તિમાન થઈ શકે ?” ત્યારપછી ખરી પડતાં પુષ્પવડે જાણે રાજાના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતું હોય તેમ તે દેવે રાજાના મસ્તક પર દઢ રીતે વૃવડે પ્રહાર કર્યો, એટલે રાજાએ તેના અનેક વૃક્ષોને વૃક્ષવડે જ પીસી નાખ્યા. ત્યારપછી મહા શિલાવડે તે બને સુભટોએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં રાજાએ મુષ્ટિ અને શિલાવડે તેની શિલાઓને એવી રીતે ચૂર્ણ કરી નાખી કે જેથી તે દુબુદ્ધિવાળા દેવના મુખમાં અને મસ્તક પર તેની ધૂળ પડી. તેથી ખેદ પામેલા અને > > --- - ----- ------ - -
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy