SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ખામાં સગર ૩૪૫ ત્યારે ક્રોધથી ઉદ્ધત થયેલ શ્રીજયાનંદકુમાર તે પર્યંતને ચૂર્ણ કરવા લાગ્યા. કામાક્ષી દેવીએ આપેલા વાના મુદ્ગરવર્ડ તેણે ઘણી શિલાએ ભાંગી નાંખી, ઘણા શિખરેા પાડી નાંખ્યા, અને ઘણા મહા વૃક્ષોને મૂળ સહિત ઉખેડી નાંખ્યા. વિશ્વને ત્રાસ ઉપજાવે તેવા અને અતિ ભયંકર તે શિલાસમૂહ, શિખરા અને વૃક્ષાના પડવાથી થયેલા ઘાર શબ્દ વડે સમગ્ર આકાશ અને પૃથ્વી ગાજી ઉઠી. Àાભ પામેલા સમુદ્રને વિષે રહેલા મત્સ્યાના સમૂહને ત્રાસ પમાડનાર ઉછળતા જળના કલ્લેાલાવડે નક્ષત્રાદિક જ્યેાતિષીએ પણ ભીંજાઈ ગયા, દ્રહા સહિત મોટી નદીઓના જળનેા સમૂહ ઉન્માર્ગે ચાલવા લાગ્યા, તેથી પુર, ગામ અને ખેટ વિગેરે ચાતરફથી તેમાં તણાઈ જવા લાગ્યા. વાયુએ ઉડાડેલા શિલાનાં ચૂણે સર્વ દિશાઓને ઝાંખી કરી દીધી; અને તે રાજાના પ્રતાપથી જાણે પરાજય પામ્યા હોય તેમ સૂર્ય પણ ગ્લાનિ પામ્યું. તે પતના ભંગ થવાથી ખીજા પતા પણ પેાતાની જાતિના દુ:ખથી અથવા ભયથી ઝરણાંરૂપી અશ્રુજળના પ્રવાહવડે રૂદન કરવા લાગ્યા અને શરીરે કપવા લાગ્યા. તે પર્વત ચૂર્ણ ન કરાતા હતા તે વખતે પૃથ્વી પણ પેાતાના આધારના ક્ષય થવાથી પેાતાને પણ વિનાશનું દુઃખ થશે એવા ભયથી ક`પવા લાગી. તે પતના પડતા શિખરના નિર્દોષથી ધડધડ કરતી ને પડતી પૃથ્વીને શેષનાગે હજાર ફણાવડે પણુ કષ્ટથી ધારણ કરી. તે પતના પડતા પથ્થરથી ચૂણ થતી વૃક્ષોવાળા વનની ઝાડીમાંથી લાખા સિંહ, વ્યાઘ્ર અને સર્પ વિગેરે પ્રાણીએ બૂમ પાડતા નાશી જવા લાગ્યા. તે પતની ગુફા અને વૃક્ષોમાં ક્રીડા કરતા કિનર અને વ્ય ́તરાદિક દેવા ઇંદ્રે મૂકેલા વજાની ભ્રાંતિથી હાહારવ કરતા નાશી ગયા. તેના નિર્દોષથી આક્રંદ કરતા ગિની, વ્યંતર, પ્રેત, ભૂત, રાક્ષસ અને તેમની પ્રિયા સવે ત્યાંથી નાશી જતા જગતને ક્ષોભ પમાડવા લાગ્યા. આ પ્રમાણે વિદ્યા, ભાગ્ય, મળ અને બ્રહ્મચ વડે ઉત્કટ એવા તે રાજા તે પર્યંતને ચૂર્ણ કરતા અધ પ્રહરમાં તે તે દેવના ભવન સુધી પહેાંચ્યા. તે વખતે ધાર શબ્દ સાંભળી તથા શીતવડે કંપતા વૃદ્ધ માણસની જેમ પાતાનુ સ્થાન પડી જતું જોઈ · આ શું? ’ એમ ભ્રાંતિ પામેલા વજ્રમુખ દેવ વિભ’ગજ્ઞાનવડે ‘જે નથી થયું અને નથી થવાનું એવુ· અદ્ભુત આ કાય થયું' એમ જાણી ક્રોધથી જાજવલ્યમાન થયા, અને પરિવાર સહિત તત્કાળ ત્યાં આવીને ભયંકર રૂપવાળા તથા દૈદીપ્યમાન નેત્રવાળા થઈ દિશાઓને ગજાવતા તે ખેલ્યા કે—૨ રે મૂખ'! તેં આ શુ કર્યું...? અકાળે મરવા કેમ ઇચ્છે છે ? આ પથ્થરમય પર્યંત તે ભાંગી નાખ્યા; જ.-૪૪
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy