SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયાન’દ્રુ કેવળી ચરિત્ર પછી વાવેગે કરેલી પૂજા, સ્નાત્ર અને અનાદિકવડે દ્વેષ રહિત થયેલી તેઓએ રાજાના કહેવાથી તેવી દાક્ષિણ્યતાથી વાવેગને હેમદૃટ પર્વત આપ્યા અને વાવેગે આપેલી અર્યાદિક પૂજા ગ્રહણ કરીને અર્દશ્ય થઈ, ૩૩૦ તે કુમારનુ... આવુ' ચિરત્ર રસ સહિત રાસડા વિગેરેમાં જોડીને તે ચેગિનીએ પર્યંત અને વનાદિકમાં ક્રીડા કરતી વખતે ગાવા લાગી. તેમની પાસેથી વિદ્યાધરીઆ અને તેમની પાસેથી ભૂચરની સ્ત્રીએ પણ શીખીને ગાવા લાગી. એ રીતે તેનું ચરિત્ર આખી પૃથ્વીપર પ્રસિદ્ધ થયું. પછી તે ત્રણે હેમકૂટ પર્વત પર આવ્યા, અને ત્યાં પ્રથમની જેમ હૅમપુર નગર ફ્રીને સ્થાપન કરી સ્વસ્થ હૃદયવાળા થઈને રહ્યા. આ પ્રમાણે શિલાદિક ગુણવડે શ્રીજયાનંદકુમાર વિદ્યા, ઔષધિ, દેવતાના સત્કાર તથા તેમની સ્તુતિ પામ્યા, અને વિદ્યાધરના પુત્ર વાવેગ શિલત્રત વિનાના હેાવાથી વિપત્તિને પામ્યા. આ હકીકત જાણીને ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યાએ એક શિયળતને જ અવશ્ય ધારણ કરવું; કેમકે કે તે શિયળવત આ લોક અને પરલેાકમાં કલ્યાણ તથા સર્વ પ્રકારનાં સુખને આપનારૂં છે. તેમજ સમગ્ર દુષ્ટ શત્રુએની જયલક્ષ્મીને પણ આપનારૂં છે. આ પ્રમાણે શ્રીત પગચ્છના અધિરાજ પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિના શિષ્ય શ્રીસામસુંદરસૂરિના શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે શ્રી જયાનંદકુમારને રાજ્યપ્રાપ્તિ તથા શિયળવ્રતના પ્રભાવથી વિદ્યાસિદ્ધિ, ચાગિનીઓને વશ કરવાપણું અને દિવ્ય શસ્ત્ર આદિક સમૃદ્ધિની પ્રાપ્તિ વિગેરે હકીકતવાળા આ અગિયારમા સ સમાપ્ત થયેા. | |//
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy