SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ८ શ્રી જયાન કેવળી ચરિત્ર રહેલા તાપસેા તેના શત્રુરાજાઓનુ' આતિથ્ય કરી પુણ્ય પ્રાપ્ત થવાથી પ્રસન્ન થઈને તે રાજાને નિર'તર આશીષ આપતા રહતા. કપિલ મુનિએ ત્રિગુણાત્મક જ ૪પ્રકૃતિ અ’ગીકાર કરી છે, પર`તુ આ રાજાએ તે પઅસ`ખ્ય ગુણના આશ્રયવાળી ઘણી ૬પ્રકૃતિએ 'ગીકાર કરી છે. આ રાજાની કીર્તિ અને પ્રતાપવડે આખું જગત પ્રકાશિત થયેલ છતાં આકાશમાં જે ચદ્ર અને સૂર્ય ઉદય પામે છે તે તે માત્ર જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનને માટે જ જણાય છે. તે રાજાને સૌભાગ્યવડે શાલતી, ઉત્તમ ગુણસ'પત્તિવાળી અને મનને પ્રીતિ રાણી. કરનારી કીર્ત્તિસુદરી આદિક ઘણી પ્રિયાએ હતી. ત્રી. તે રાજાને મતિસાગર નામે મત્રી હતા. તે રાજ્યતંત્ર જાણનારાએમાં અગ્રેસર, શ્રેષ્ઠ ચતુરાઈનુ` મ`દિર અને સર્વ શાસ્ત્રમાં નિપુણ હતા. તેના અંગનુ સૌદર્ય.. જોઈ ને પેાતાનું અંગ ધારણ કરી રાખવા નહી. ઇચ્છતા ` કામદેવ મહાદેવના નેત્રના અગ્નિમાં તેના હામ કરવાના મિષથી શરીરના ત્યાગ કરી અનંગ થયા હોય એમ જણાય છે. તેણે વિદ્યાની સુંદરતાથી– નિપુણતાથી બૃહસ્પતિને જીતીને લઘુ કર્યાં હતા. તેથી તે જીવ માત્ર જ (માત્ર જીવરૂપેજ) રહ્યો છે, અને તેથી કરીને જ તેનુ' જીવ એવું નામ કહેવાય છે.” તે મંત્રી ક્ષમાવાન, દાતાર, ગુણગ્રાહી, શક્તિમાન, રાજા ઉપર ભક્તિમાન, વ્યવહારને જ્ઞાતા, સામાદિક ઉપાયને જાણનાર, વિનયવાન અને ન્યાયવાન હતા. રાજા પેાતાના રાજ્યવ્યાપારને સ ભાર તે મંત્રી ઉપર નાંખી પાતે નિય અને નિશ્ચિત થઈ નિર'તર ભાગ લેાગવવામાં આસક્ત રહેતા હતા. કામદેવને રિત અને પ્રીતિની જેમ તે મ`ત્રીને એ પ્રિયાએ હતી. તેમાં પહેલી પ્રીતિસુંદરી નામની અને બીજી ગુણસુંદરી નામની હતી. દેવાંગનાઓના રૂપનું સ`સ્વ–તેજ ખુચવી લઈને વિધાતાએ આ બે સ્ત્રીએને રચી હતી, તે દુ:ખથી દેવાની નિદ્રા ઉડી ગઈ, તેથી તેઓ ‘અસ્વપ્ન ’એવે નામે ઓળખાવા લાગ્યા. પરંતુ વિધાતાએ તે પેાતાની વૃદ્ધાવસ્થાને લીધે પ્રાપ્ત થતા વિકળતાના પ્રવાદને (દોષને) દૂર ૧ અતિથિસત્કાર. ૨ આ રાજાના ભયથી તેના શત્રુરાજાએ નિરંતર વનમાં રહેતા હતા, તેમનું વનવાસી તાપસેા આગત સ્વાગત અને ખાનપાન વિગેરેથી આતિથ્ય કરતા હતા, તેથી તાપસાતે દાનપુણ્ય ઉપાર્જન થતું હતુ. ૩ સત્ત્વગુણ, રજોગુણ અને તમેગુણ સ્વરૂપવાળી. ૪ સંસારનું કારણ માયા કહેવાય છે તે. ૫ શૌય, ઔદાય વિગેરે. ૬ સ્વભાવ. ૭ બૃહસ્પતિનું બીજું નામ ‘જીવ' છે. ૮ સામ, દામ, ભેદ તે દંડ–એ ચાર નીતિ.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy