SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યારમે સર્ગ. એમ કહી રાજાએ તેમણે આપેલું ઉત્તમ રત્નાદિક પ્રાભૂત ગ્રહણ કર્યું. પછી સન્માનપૂર્વક તેમના ઉતારા વિગેરેની ગોઠવણ કરી રાજાએ કુમારને મળવા ઉત્સુક થયેલા તેમને પ્રતિહારની સાથે કુમારની પાસે મોકલ્યા. ત્યાં કુમારના પ્રતિહાર નિવેદન કરેલા તેઓ તેની આજ્ઞાથી તત્કાળ તેની સભામાં અંદર ગયા અને અંતઃકરણમાં આનંદથી વ્યાપ્ત થયેલા તેઓએ કુમારને નમસ્કાર કર્યા, એટલે હર્ષથી યુક્ત થયેલા કુમારે ઊભા થઈ તેઓને ઓળખી સર્વ સાથે જુદી જુદી વાત કરવા પૂર્વક રોમાંચરૂપી દંડવડે તે દરેકને આલિંગન કર્યું. પછી ધારાબંધ હર્ષાશ્રુવડે ધોયેલા તેમને આસન પર બેસાડી કાકા અને પિતા વગેરે કુટુંબના સમૂહનું ક્ષેમકુશળ પૂછ્યું, ત્યારે તેઓ બેલ્યા કે– તે સર્વ કશળ છે; પરંતુ તમારે વિયોગ તેમને અત્યંત પીડા કરે છે, તે આ લેખથી તમે જાણશે.” એમ કહી તેમણે તેને લેખ આપે. તે લઈ કુમારે પિતાના મસ્તક પર ચઢાવી પિતૃવર્ગના વિયેગાદિકના સ્મરણથી ઉત્પન્ન થયેલા દુઃખાશુવડે આ થયેલા તે લેખને ઉઘાડી આ પ્રમાણે વાંચ્યો – સ્વસ્તિ શ્રી સર્વજ્ઞ દેવને નમસ્કાર કરી વિજયપુરથી ભાઈ શ્રીવિજયાદિક સહિત શ્રી જયરાજા લક્ષ્મીના વિલાસવડે વિશાળ મંદિરવાળા લક્ષ્મીપુર નગરમાં કુમાર શ્રી જયાનંદને આશ્ચર્ય પૂર્વક નેહસહિત આલિંગન કરી ખબર આપે છે કે–અહીં અમારું કુશળ વર્તે છે. તારું કલ્યાણ અમને હર્ષ પમાડવા માટે તારે જણાવવું. બીજું કાર્ય એ છે કે હે વત્સ ! અમારા રાજ્યનું તું જીવિત છે. સિંહ જેમ ગધેડા સાથે જાય તેમ તું કઈ ન જાણે એમ સિંહસારની સાથે ચાલ્યો ગયે છે, તો તે ખળનો સંગ કરે તારે યોગ્ય નથી. વળી મોટી સંપત્તિ પામ્યા છતાં તું અમારું સ્મરણ કેમ કરતો નથી? જગતને તો એવો સ્વભાવ છે, પરંતુ તારી જેવા લાયક પુત્રને તે એગ્ય નથી, કેમકે મહાપુરૂષ તે મેટાઈ પામીને પિતૃવર્ગને અધિક પ્રસન્ન કરે છે. શું ચંદ્ર ઉદય પામીને પોતાના પિતા સમુદ્રને ઉલ્લાસ નથી પમાડતો? તારા વિગને લીધે મહા કષ્ટવડે અમે દિવસો પસાર કરીએ છીએ, અને વૃદ્ધ બળદની જેમ અમે હવે રાજ્યધુરા વહન કરવાને શક્તિમાન રહ્યા નથી. તેથી હે વત્સ! મોટા બળદની જેમ તું અમને સહાય કરવાને ગ્ય છે. માટે જે અમારા ઉપર તારી ભક્તિ હોય તો અમને જોયા પછી તારે પાણી પીવું, અર્થાત્ પત્ર વાંચતાં જ અહીં આવવું.” આ પ્રમાણે લેખનો ભાવાર્થ જાણે અત્યંત દુઃખી થયેલા કુમારે વિચાર્યું કે – અહો ! હું પિતૃવર્ગને દુખ આપનાર છે. પણું અને પલ્લવડે ગાઢ છાયાવાળા
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy