________________
૨૮૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
પૂછીને તેનું કુળાદિક મને કહે કે જેથી મારું મન શુદ્ધ પ્રેમવાળું થાય.” ત્યારે પ્રધાનો બોલ્યા કે –
ઉત્તમ પુરૂષે પિતાના મુખે પિતાનું નામ પણ કહેતા નથી તો તે પિતાનું કુળાદિક શી રીતે કહે? તેમાં પણ જે શૂરવીર હોય તે તે વિશેષ કરીને પિતાનું નામાદિક કહેતા નથી, તે પણ તમારી આજ્ઞા ઉલ્લંઘન કરવા લાયક નહિ હોવાથી અમે તેની પાસે જઈને તેને કુળાદિક પૂછશું, અને જે તે કહેશે તે અમે તમને કહેશું.” એમ કહી તે પ્રધાને રાજાને નમસ્કાર કરી કુમાર પાસે આવ્યા અને કુમારને નમસ્કાર કરી હાથ જોડીને બોલ્યા કે—
હે કુમાર ! તમે દુષ્ટ શત્રુઓને શિક્ષા કરનાર છે, બંને પ્રકારના ગુરૂજનને વિષે ભક્તિવાળા છે, નમસ્કાર કરનાર ઉપર કૃપાળુ છે, આશ્રિતને વિષે વત્સલ છે અને જંગમ કલ્પવૃક્ષની જેમ સર્વે અર્થીઓને સર્વ મને વાંછિત આપે છે. તેથી હે કુમાર ! તમે તમારા પિતાનું નામ અને કુળ વિગેરે અમને કહે. આ અમારી પ્રાર્થ નાને ભંગ કરશે નહિ. કેઈ દુષ્ટ રાજાને તમારા કુળાદિકને અંગે વિરૂદ્ધ વાત કરી છે, તો તમારું કુળાદિક કહેવાથી આ રાજાના દિલને શાંતિ થશે અને અમને પણ સુખ થશે, તે સાંભળી કુમારે કહ્યું કે –
હે પ્રધાન ! મેં કોઈની પ્રાર્થનાનો ભંગ કર્યો નથી અને કરીશ પણ નહિ. તમારા હૃદયમાં તમે આનંદ ધારણ કરે. શત્રુના મૂળને કાપી નાખનાર મારા હાથ જ યુદ્ધને વિષે મારા કુળને કહેશે; કેમકે પુરૂષ ફળવડે જ બોલે છે, પણ મુખવડે બોલતા નથી. સર્વ શત્રુઓને ક્ષય થશે અને તમારા જેવા મિત્રે સુખવડે વૃદ્ધિ પામશે. કેમકે આ યુદ્ધનું કર્મ ધર્મયુક્ત છે, માટે રાજા ભલે સિન્ય અને શસ્ત્ર સહિત સજજ થઈને આવે, મારે તે મારા હાથે જ સિન્ય અને શસ્ત્રરૂપ છે; તેથી હું તે સર્વદા સજજ જ છું.”
આવું કુમારનું વચન સાંભળી બુદ્ધિમાન પ્રધાને તેને નમસ્કાર કરી રાજ પાસે આવ્યા અને તેને તેઓએ કુમારનું કહેલું કહી બતાવ્યું. તે સાંભળી રાજા ખેદ પામી વિચારવા લાગ્યું કે “આટલે બધે યુદ્ધને આડંબર કરી હવે તેને એમને એમ જ મૂકી દેતાં મને લજજા આવે છે, વળી યુદ્ધ કરતાં પણ કાર્યની સિદ્ધિ કે યશને હું જેતે નથી, માટે ઉભયથી ભ્રષ્ટ થયેલે હું શું કરું? મારી શી ગતિ થશે?”
આવી ચિંતાથી વ્યાકુળ રાજાને જાણ પ્રધાને બેલ્યા કે–“આ કુમાર યુદ્ધમાં શસ્ત્રધારીને પણ તૃણ સમાન ગણતા નથી. આ નિર્ભય પરાક્રમી પુરૂષ પિતાનું