________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પ્રમાણે તું પણ રાજકન્યાને યોગ્ય નથી. એ શું તું નથી જાણતો? જેમ ગધેડે સુવર્ણની ઘંટાને લાયક નથી, કુતરે ખીરના ભજનને લાયક નથી, અને ઉંટ મણિના હારને યોગ્ય નથી, તેમ તું પણ રાજકન્યાને યોગ્ય નથી.
તેથી તું આ કન્યાઓને ત્યાગ કરી તારા જેવી કોઈ વામન સ્ત્રીને સ્વિકાર, કે જેથી નટાદિકની જેમ કળાવડે દ્રવ્ય ઉપાર્જન કરીને તું સુખેથી જીંદગી ગુજારી શકે. પણ અમારા કહેવા પ્રમાણે નહિ કરે તો તું અહીં માર્યો જઈશ.” ( આ પ્રમાણેનું તેનું વચન સાંભળી વામન ક્રોધ કરીને બોલ્યો કે—“અરે ! સૂરપાળ! કેમ હજુ તું નિર્માગી અને કળા રહિત એવા તારા આત્માને જાણતો નથી? જેમ તમે સર્વે કળાના વાદમાં કાંઈ પણ ન કરી શકે તેવા થઈ ગયા, તે જ પ્રમાણે રણસંગ્રામમાં પણ તમે મારા વડે નિર્જીવ થઈ જશે. આ મારી પ્રિયાઓ ઉપર તમારામાને છે કેઈ કટાક્ષ કરશે, તેના પર યમરાજે પોતાને ઘેર લઈ જવા કટાક્ષ કર્યો છે, એમ નિશ્ચય માનજો.” તે સાંભળી સૂરપાળ બોલ્યો કે
જો તું યુદ્ધમાં પણ એવી હિંમત ધરે છે, તે તું શસ્ત્ર ગ્રહણ કર ને સામે આવી જા.” તે સાંભળી વામન અવજ્ઞાથી બેલ્યો કે–“જે કદાચ પિતપોતાનાં શસ્ત્રસમૂહથી સંપૂર્ણ એવા વિશગુ, શંકર, ઇંદ્ર, વિશ્વને અંત કરનાર યમરાજ અથવા બીજે કેઈ લેકપાળ મારી દષ્ટિ સન્મુખ યુદ્ધની પંડિતાઈનું અતુલ બળ પ્રસિદ્ધ કરીને ઉભે રહે, તે હું કાંઈક શસ્ત્ર ગ્રહણ કરું અને મારી ભુજાયુગલનું બળ બતાવું.
રે સુભટે! અત્યંત વિકટ અને દુર્ઘટ એવા શસ્ત્રસમૂહના અભ્યાસથી ઉત્પન્ન થયેલા શ્રમના સમૂહવડે તૈયાર થયેલા મારી લેવાની સાથે યુદ્ધમાં જીતવાને શું તમે ઈચ્છો છો? પરંતુ મારા એક પાદને પણ પ્રગટપણે સહન કરવાને ઇદ્ર પણ સમર્થ નથી; તે તમારા જેવાને શે આશરે ? તમારા જેવા સસલાઓ ઉપર હું શી રીતે શસ્ત્ર ગ્રહણ કરું? તમારા જેવાની સાથે તે મારી ભુજા જ શસ્ત્રરૂપ છે, મારું પરાક્રમ જ બખ્તર છે અને મારું ભાગ્યે જ સહાયભૂત છે. - અરે! હજુ સુધી તમે મને જાણ્યો નથી? તે તમે સર્વે એકઠા મળી બખ્તર પહેરીને સજજ થઈ જાઓ, અને યુદ્ધ માટે શસ્ત્ર ગ્રહણ કરે. તમને હું યુદ્ધનું કૌતુક બતાવું.” આવી તેની વાણીથી તેને દુર્જય માન્યા છતાં સર્વે રાજકુમારે પરીક્ષા વખતે બોલાવેલા પિતાપિતાના સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. બીજા પણ રણસંગ્રામમાં યુદ્ધ કરવા આવ્યા, તેટલામાં મસ્તક મંડેલા તે પાંચે રાજકુમાર યુદ્ધને ઉત્સવ સાંભળી
--
--
-