________________
दशमः सर्गः
भुङ्क्ते तृप्यति चाऽन्य एव नियतं मिथ्यापि सत्यैव गीयः प्राग्धन्यभवे ह्यदात् सुगुरवे शुद्धं हविः श्रद्धया ॥ चित्रं तज्जनिषु त्रयोदशसु बद्धायुस्तदेवाऽजनि । प्रत्येकं सुवोध बुद्धिमहस सार्वर्षभोऽव्यात्स ૬ઃ ॥ o ॥
• એક ભાજન કરે‘ અને ખીજો તૃપ્ત થાય ’ એ વચન મિથ્યા છતાં ખરેખર સત્ય થયું; કેમકે જેણે પૂર્વે ધન્યના ભવમાં સદ્ગુરૂને શ્રદ્ધાથી શુદ્ધ ધૃતનું દાન કર્યું. હતું, તે જ ઘૃત તેમના તેરમા ભવમાં સુખ, ખેાધિ-સમકિત, બુદ્ધિ અને તેજનાં સ્થાનરૂપ થયું, તે શ્રીઋષભજિનેશ્વર તમારૂં રક્ષણ કરો.
એક દિવસ ચૈત્રમાસમાં તે ક્ષવૈશ્રવણ શ્રીજયાનંદકુમાર પ્રિયા અને મિત્ર સહિત ક્રીડા કરવાના ઉદ્યાનમાં જઈ ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતા હતા; તે વખતે તેણે મોટા વિમાનાની ઋદ્ધિએ સહિત આકાશમાં જતા જાણે દેવા હાય તેવા ઘણા વિદ્યાધરાને જોયા. તેથી · દિવ્ય સમૃદ્ધિવાળા આ સર્વે કયાં જતા હશે ?' એમ તે કુમાર ચિતવવા લાગ્યા. તેટલામાં વિદ્યાધર પ્રિયા સહિત ત્યાં આવી વાવડીમાં ઉતર્યાં. એટલે મારે ત્યાં જઈ પ્રિયાને જળ પાતા એવા તે ખેચરને પૂછ્યું' કે—
“ આ ખેચરા કયાં અને શા માટે જાય છે ? ” ત્યારે તે ખેચર એક્ષ્ચા કે— “ ન'દીશ્વર દ્વીપને વિષે રહેલા શાશ્વત અહં ચૈત્યમાં અષ્ટાહ્નિકા મહેૉત્સવ કરવા માટે સવે ખેચરા જાય છે. ” તે સાંભળી કુમારે વિચાર્યું કે—“ આ ખેચરીને ધન્ય છે કે જે શાશ્વત અાફ્રિકા પર્વનું આરાધન કરે છે, અને હું તેા ક્રીડાવડે આ પ્રમાણે નિષ્ફળ કાળ નિગમન કરૂં છું.
""
એમ વિચારી ઘેર જઈ તેણે બન્ને પ્રિયાને કહ્યું કે—“ હું વિદ્યાધરાની સાથે નદીશ્વર દ્વીપે જઈ દેવેને નમસ્કાર કરીને જલ્દી પાછે અહી' આવું છું, ત્યાં સુધીમાં તમારે વૃદ્ધ સ્ત્રીઓ સાથે ધકથાકિવડે જેમ સુખ ઉપજે તેમ સાવધાન ચિત્તે રહેવું. ” તે સાંભળી ખન્ને પ્રિયાએએ ભક્તિ અને વિનય સહિત પતિના આદેશ અ‘ગીકાર
'-'
#33