SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કરનારા જાણે વિમાને હોય એવા રથે અને જાણે ગરૂડની જેમ ઉડતા હોય એવા અધો પણ પરસ્પર એકઠા થયા, અને તેમના ઉપર રહેલા વીર પુરૂષને સમૂહ પરસ્પર યુદ્ધ કરવા લાગે. તે જ રીતે ઉડતા અને પડતા સિંહ જેવા સૈનિકે પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે હાથીઓની ગર્જનાવડે, અશ્વોના હેવારનવડે, રથના ચીત્કાર શબ્દવડે, સુભટોના ભુજાસ્ફોટવડે, વાજિંત્રના મનહર નાદવડે, પરસ્પર અથડાતા શસ્ત્રસમૂહના નિર્દોષવડે અને ચારે બાજુથી ભૂતપ્રેતાદિકના અટ્ટહાસવર્ડ જાણે આકાશ ફૂટી જતું હોય એમ દેખાવા લાગ્યું. - વીરપુરુષના બાણોને અડધે આગળનો ભાગ હાથીઓના શરીરમાં પેસી જવાથી તે હાથીઓ જાણે ફરીથી પાંખો ઉત્પન્ન થયેલા હોય અને લેહી નીકળી રહેલું હોવાથી જાણે ઝરણાં વહેતા પર્વતે હોય એવા જણાતા હતા. વિરપુરૂના મુદ્દેગવડે હણાએલા અને પૃથ્વી પર પડતા કેટલાક હાથીઓ ક્ષણવાર છેદાયેલી પાંખોવાળા પર્વ તેનું સમાનપણું બતાવતા હતા. મહાસુભટના દર સુધી ગયેલા બાવડે વિંધાવાથી છિદ્રવાળા થયેલા હાથીઓ જાણે મદને નીકળવાનો માર્ગ કર્યો હોય તેમ શોભતા હતા. છાતી ઉપર પતિના પડવાથી જેમ નવી પરણેલી સ્ત્રી પરસેવાને ધારણ કરી કંપવા લાગે, તેમ હાથીના પડવાથી પૃથ્વી લેહી રૂપી પરસેવાને ધારણ કરી કંપતી હતી. સામા પક્ષના વીરેને જીતવાથી બીજા વીર સૈનિકે હર્ષ પામતા હતા, અને તેમના મસ્તકેપર દેવતાઓ હર્ષથી પુષ્પવૃષ્ટિ કરતા હતા. કેટલાક વીરપુરૂષે ગંદાઓ વડે પાપડની જેમ રને ભાંગી નાખતા હતા, અને જાણે બાળકની કીડાના રમકડાં હોય તેમ તેના અશ્વો સહિત સુભટને નીચે પાડી દેતા હતા. કેટલાક પગે ચાલતા સિનિકો પણ ખેતરમાં રહેલા ચાડિયાની જેમ પૃથ્વી ઉપર આળોટતા હતા. તેઓ કોઈ પણ પ્રકારે ઉભા થતા ત્યારે પાછા રથના ચક્ર અને હાથીના પગ અથડાવાથી પડી જતા હતા. વીર પુરૂષના બાણ ચારે બાજુ ફેલાવાથી આકાશમાં મંડપ થઈ ગયે તેથી સૂર્યનો પ્રકાશ છતાં પણ શત્રુને પ્રચાર રંધાતું હતું. ચારેબાજુ અંધકાર વ્યાપી ગયો, તે વખતે પરસ્પર શસ્ત્રના અથડાવાથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે સર્વત્ર પ્રકાશ થતે અને વીરેના મુખ ઉપર વિશેષ પ્રકાશ પડતે હતે. આ પ્રમાણે દ્ધાઓએ અતિ ભયંકર યુદ્ધ કર્યું, તેમાં શ્રી કમળપ્રભ રાજાનુંઅસૈન્ય ભાગ્યું. તેને પાછું હતું જોઈ તત્કાળ ક્રોધથી ઉદ્ધત થયેલે તે કમળપ્રભ રાજા જેટલામાં ધનુષ્યને ધારણ કરી પિતે ઉભે થયે, તેટલામાં “હે રાજેન્દ્ર! હું હાજર હેવા છતાં આપને યુદ્ધ માટે ઉભા થવાનું કારણ શું?” આ ADA વ
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy