SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર બીજો ધનદેવના જીવ દેવનુ આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગથી ચ્યવી વૈતાઢચ પતપર રથનૂપુરચક્રવાલ નામના નગરમાં મહેદ્રસિંહ નામે મોટા વિદ્યાધરના ચક્રવતી થયે. તેને રત્નમાલા નામની પ્રિયા હતી, તથા રત્નચૂડ અને મણિચૂડ નામના બે પુત્ર હતા. એક દિવસ તે ચક્રીની પ્રિયા મહા વ્યાધિથી મરણ પામી, તેણીનું રાજા રક્ષણ કરી શકયેા નહીં. તેથી તેના શેાકવડે પીડા પામેલા તે વિદ્યાધરના ચક્રવતી માહના વશથી વિલાપ કરવા લાગ્યા. ૨૨૬ આ વૃત્તાંત અધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામિની લબ્ધિવડે પૂર્વભવના સ્નેહના વશથી તેના નગરમાં ગયા. ત્યાં તે ચક્રવતીએ તે મુનિને નમસ્કાર કર્યાં. પછી મુનિએ પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર કહી તેને પ્રતિધ પમાડત્રો, એટલે તેણે રત્નક્રૂડ પુત્રને રાજ્ય સાંપી તે જ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે વિદ્યાધર રાજર્ષિ સ આગમના અભ્યાસ કરી અતિઉગ્ર વિવિધ પ્રકારના તપ તપી અનેક લબ્ધિના સ્થાનરૂપ થયા. ત્યારપછી તે અન્ને રાજર્ષિ ચિરકાળ સુધી અષ્ટાંગ ચેાગની સાધના વડે સમગ્ર કમળના ક્ષય કરી અનુક્રમે મેાક્ષસુખ પામ્યા. આ પ્રમાણે જે પડિતને મદન અને ધનદેવની જેમ વિષયસુખને દુઃખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અ’ગીકાર કરે છે, તેઓ અનુક્રમે મેાક્ષસુખની સપદાને પામે છે. તપગચ્છના આચાય શ્રી મુનિસુંદરસૂરિએ પ્રાકૃત સુમતિચરિત્ર ઉપરથી સત્પુરૂષાના મેહરૂપી શત્રુની જયલક્ષ્મીને માટે આ મદનનું ચરિત્ર સંવત. ૧૫૧૦ ની સાલમાં રચ્યું છે. આ ધનપતિના પુત્ર ધનદેવનું ચરિત્ર સાંભળી તેને સમ્યક્ પ્રકારે વિચાર કરી આ ભવ તથા પરભવમાં અત્યંત દુ:ખ આપનારી સ્ત્રીઓ સાથે રહીને સુખના અભિલાષ કાણુ કરે ? ઈતિ મદન ધનદેવ-ચરિત્ર. આ પ્રમાણે મદન–ધનદેવની કથા સાંભળી રાજા કમળપ્રભ વિગેરે સ જને આશ્ચય પામી તે બ્રહ્મવૈશ્રવણની ચતુરાઈની સ્તુતિ કરવા લાગ્યા. પછી કમળપ્રભ રાજાએ મત્રીઓ સાથે વિચાર કરી પોતાના ઇષ્ટ કાર્યની સિદ્ધિને માટે તે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે સ્ત્રીઓનું આવુ. જે ચરિત્ર કહ્યું તે સત્ય છે, પર`તુ ગૃહસ્થીથી તેના ત્યાગ કરી શકાતા નથી, તેમજ સ સ્ત્રીએ એકાંતપણે નિંદા કરવા લાયક પણ હાતી નથી, કેમકે
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy