SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ શ્રી જયાનંદ કેવળ ચરિત્ર ગ્રહણ કરી મોટી સ્ત્રીએ મંત્રીને પૃથ્વીપર છાંટયું, એટલે તરત જ તે જળ ચોતરફથી વૃદ્ધિ પામવા લાગ્યું. તે જોઈ તેણે ભય પામી શ્રીમતીના મુખ સામે જોયું, એટલે તેણીએ કહ્યું કે “ભય ન પામે.” પછી વૃદ્ધિ પામતું તે જળ અનુક્રમે ઘુંટી, ઢીંચણ, સાથળ, નાભિ, છાતી, કંઠ અને છેવટે નાસિકા સુધી પહોંચ્યું. ત્યારે તેણે ભય પામી શ્રીમતીને કહ્યું કે-“હે પ્રિયા ! હવે તદ્દન ડુબી ગયા પછી તે કોની પ્રતિક્રિયા કરીશ ?” તે સાંભળી તેણીએ ગાયની જેમ પિતાના મુખવડે જ તે જળનું એવી રીતે પાન કર્યું કે જેમાંથી એક બિંદુ પણ બાકી રહ્યું નહિ. એ તેણીને ચમત્કાર જોઈ તત્કાળ તે બને સ્ત્રીઓ શ્રીમતીના પગમાં પડી અને બોલી કે-“તારી વિદ્યા કળા અને ગુણવડે અમે હારી ગયા છીએ, તેથી અમે સ્વામીનીની જેમ તારી સેવા કરીશું.” - પછી તે ત્રણે સ્ત્રીઓ પરસ્પર પ્રીતિવાળી થઈ પિતપોતાના કાર્યમાં પ્રવતી. અને એ સ્ત્રીઓ સુદ્રવિદ્યાવડે પરસ્પર સમાનપણાને પામેલી હોવાથી પરસ્પર પ્રીતિવડે મળી ગઈ. કેમકે “સરખા સ્વભાવવાળાને પ્રીતિ હોય છે જ. અનુક્રમે પ્રથમની બે પ્રિયાઓના સંગથી તે ત્રીજી પ્રિયા પણ સ્વેચ્છાચારી થઈ ગુણુ તથા દેષ સંસર્ગથી જ પ્રાપ્ત થાય છે, પછી તે ધનદેવે વિચાર કર્યો કે– પ્રથમની બે પ્રિયાઓની ભક્તિ તે મેં જોઈ છે હવે ત્રીજીની પણ જે એવી જ ભક્તિ થશે, તે મારું શરણ કોણ થશે ? તેથી પ્રત્યક્ષ રાક્ષસી જેવી આ ત્રણે સ્ત્રીને ત્યાગ કરીને હું કંઈક આત્મહિત કરું, કે જેથી આ ભય ફરીથી પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચાર કરી કંઈક કાર્યનું બાનું કરી તે ધનદેવ અહીં ઉદ્યાનમાં આ ચૈત્યને વિષે આવ્યો છે તે ધનદેવ હું જ છું. આ પ્રમાણે મેં પોપટની અવસ્થામાં તથા બીજી રીતે પણ જે દુઃખ ભેગવ્યું છે તે તમારા દુઃખથી પણ અધિક છે. આ પ્રમાણે તે ધનદેવનું વૃત્તાંત સાંભળી વિસ્મય પામેલા મદનશેઠે તેને કહ્યું કે-“હે મિત્ર ! દૈવયોગે તમને પ્રાપ્ત થયેલી પશુતા પ્રાપ્ત થયા છતાં નષ્ટ થઈ તથા તે શરીરવડે વિશેષ દુઃખ ન અનુભવ્યું, તેટલા તમે ભાગ્યવાન છે. હવે તે આ સંસાર જ દુઃખમય છે એમ જાણીને આપણે આત્માહિત કરવું યોગ્ય છે. આ પ્રમાણે સમાન સ્થિતિ ને વિચારવાળા તે બન્ને પ્રીતિથી વાતો કરતા હતા, તેવામાં ત્યાં વિમળબાહુ નામના ગુરૂ પરિવાર સહિત પધાર્યા. તે ગુરૂમહારાજ પણ શ્રી આદિનાથ સ્વામિને નમસ્કાર કરી તથા સ્તુતિ કરી તે જ મંડપમાં શિષ્યોએ પાથરેલા
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy