________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરિવાર સહિત જલદીથી વાહનમાં બેસી પોતાના પિયર તરફ ચાલી. કારણ કે સ્ત્રીઓને સંકટમાં પિતાનું ઘર જ શરણભૂત હોય છે. ”
અનુક્રમે પિતાના ભાઈ કમળપ્રભ રાજાને નગરે એટલે જ્યાં તેની પુત્રી ને જમાઈ છે ત્યાં જ આવી. ત્યાં ઉદ્યાનમાં રહી દાસી સાથે પિતાનું આગમન પિતાના ભાઈને એ જણાવ્યું. બહેનને આવેલી જાણ રાજાએ અંતઃપુર અને પરિવાર સહિત ઉદ્યાનમાં આવી બહેનને હર્ષથી પ્રણામ કર્યા. ત્યારે ભાઈને આશીર્વાદ આપી તેના કંઠે વળગીને તે રેવા લાગી. રાજાએ તેણીને આશ્વાસન આપી, રૂદન નિવારી, આસન પર બેસાડી તેની હકીક્તને અજાણ હોવાથી તેણે આવા અતિશય શકનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે “હે બહેન ! તમારૂં અકસ્માત અહીં આવવું કેમ થયું? અને તમે શા માટે રૂદન કરે છે?” ત્યારે તેણુએ પુત્રીને સર્વ વૃત્તાંત મૂળથી કહી સંભળાવ્યું. તે સાંભળી ખેદથી કમળપ્રભ રાજાના નેત્રમાં પણ અશ્રુ આવ્યા અને કૌલધમ બનેવીની તથા ખુશામતીઆ મંત્રી વિગેરેની તેણે નિંદા કરી, છેવટે ધીરજ પકડીને નેહથી તેણે બહેનને કહ્યું કે–“હે બહેન ! તમે ખેદ કરશે નહિ. આ બાબતમાં પિતપતાના કર્મ જ અપરાધી છે. કહ્યું છે કે–“સર્વ જે કર્મને વશ છે. પંડિત પણ તેને કબજે કરી શકતા નથી. વળી તે કર્મ જડ હેવાથી વાણીને પણ લાયક નથી, છતાં જે તેને કાંઈ કહેવામાં આવે, તે તે વક્તા બોલવાના શ્રમને જ પામે છે તેનું ફળ કાંઈ નથી. તે પણ અવસર અને ઉપાય પામી મારા બનેવી રાજવીને હું જરૂર શિક્ષા કરીશ, કે જેણે મારી પવિત્ર બહેનને આવી રીતે ગર્વથી અપરાધ કર્યો છે.
વળી હે બહેન! તરફ શોધ કરાવી મારી ભાણેજ વિજય સુંદરીને હું શેધી લાવીશ, અને બ્રહ્મવૈશ્રણવ પાસે તેને દેખતી કરાવીશ.” તે સાંભળી “બ્રોશ્રવણ કેણ છે?” એમ બહેનના પૂછવાથી રાજાએ કુમારને સાજો કરવામાં વિસ્મય અને આનંદ આપનાર તે વૈધને સર્વ વૃત્તાંત કહ્યો. ભત્રીજાના સાજા થવાની વાત સાંભળી વિસ્મય પામેલી કમળ સ્નેહથી એ આનંદ પામી કે જેથી પુત્રીનું દુઃખ પણ તે ભૂલી ગઈ પછી ભગવતી આદિક રાણીઓએ તે નણંદને બહુમાન પૂર્વક પ્રણામ કર્યા, ત્યારે તેણીએ તેમને પ્રેમથી આલિંગન અને આશીર્વાદ આપી પ્રસન્ન કરી.
ત્યારપછી કમળપ્રભ રાજા બહેનને સુખાસનમાં બેસાડી પરિવાર સહિત ગૌરવ અને મહોત્સવ પૂર્વક પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં પ્રણામ કરતા વિજયસૂર નામના પિતાના ભત્રીજાને નેહથી મસ્તકપર સુધી વિવિધ આશીર્વાદવડે પ્રસન્ન કર્યો.