________________
આઠમે સગ.
પછી કનકપ્રભ રાજાએ વિચાર કર્યો કે “કદાચ પરદેશમાં કઈ તેવો ઉત્તમ પુરૂષ મળી આવશે કે જે આ મારા પુત્રને સાજો કરશે.” એમ વિચારી “જે કોઈ મારા પુત્રને સાજો કરશે, તેને હું એક દેશ સહિત મારી કમળસુંદરી નામની કન્યા આપીશ.”
આ પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા પડહ વગડાવીને સર્વત્ર જાહેર કરી અને પછી પણ ચોતરફ આવો પડહ પખવાડીએ ત્રણત્રણ દિવસ વગડાવો શરૂ રાખે. એકદિવસ મારા મામાએ મને પ્રેમથી તેડાવી ત્યારે હું ત્યાં જઈ થોડા દિવસ રહી હતી. તે વખતે મેં આ સર્વ વૃત્તાંત જાર્યો હતો. વળી કમળસુંદરી મારી સાથેના પ્રેમને લીધે મારા અને પિતાના એકજ પતિને ઈચ્છતી હતી, પરંતુ ભાઈના દુઃખને લીધે તે વખતે તે કાંઈ પણ બોલી શકી નહોતી.
તેથી હે સ્વામી! તે નગરમાં જઈ મારા ભાઈને સાજો કરી સર્વ લેક સહિત મારા માતૃપક્ષને સુખી કરે. હે પ્રિય! મને નેત્ર આપવાની શક્તિથી આ બાબતમાં પણ તમારું સામર્થ્ય છે એમ મને નિશ્ચય થાય છે. “કલ્પવૃક્ષ ન આપી શકે એવી કઈ વસ્તુ જગતમાં છે? હે પ્રિય! તમે પરેપકાર કરવા ઈચ્છો છે, તેથી તમારે હાથે આ એક મેટ પરોપકાર થશે; કેમકે નમ્ર અને ધર્મના સ્વભાવવાળે તે કુમાર સુખી હશે તે પ્રજાને પણ તે સુખી કરશે.”
આ પ્રમાણે પ્રિયાનું વચન સાંભળી જયેશમીની સાથે પિતાના ભાગ્યની પરીક્ષા કરવાથી જેને હર્ષ પ્રાપ્ત થયે છે એવા તે શ્રીજયાનંદકુમારે કમલપુર નગરે જવાનું . અંગીકાર કર્યું.
'. આ પ્રમાણે તપગચ્છના પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરસૂરિ, તેના શિષ્ય શ્રીસેમસુંદરસૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જ્યાનંદરાજર્ષિ કેવલીના ચરિત્રને વિષે આ સર્ગમાં શ્રી જયાનંદકુમારને દેશાંતરમાં ફરતાં ગંગદત્ત પરિવ્રાજકને ઉપકાર, જયમાલ ક્ષેત્રપાળનો જય, તેણે આપેલી મહિમાવાળી પાંચ મહૌષધિની પ્રાપ્તિ, પૂર્વના મંત્રીભવની બે પત્નીઓ કે જે આ ભિવમાં રતિસુંદરી અને વિજય સુંદરી થઈ. તેમના વૃત્તાંત સહિત ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ, ત્રીજા અણુવ્રત ઉપર લક્ષમીપુંજનું દૃષ્ટાંત, અને કમળસુંદરીના પાણિગ્રહણને પ્રસ્તાવ એટલી હકીકતવાળો આ આઠમ સર્ગ સમાપ્ત થયે.