SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અમારી પુત્રી છે. તે સર્વ સુંદર શાળવાળી, ઉત્તમ ભાગ્ય અને સૌભાગ્યાદિક ગુણવાળી અને સૌંદર્યથી શોભતી લીલાયુક્ત અને મનહર કળાએથી ઉજવળ છે; તે જલ્દીથી ઉત્સવ સહિત તમારા પુત્ર પાસે તેમનું પાણિગ્રહણ કરાવો. આ પ્રમાણે તેમના વચન સાંભળી પિતાના પુત્રને વિવાહ યુગ્ય થયેલે જાણ તથા આ શ્રેષ્ઠ ઈભ્યોને સ્વજનપણાના સ્થાનરૂપ જોઈ સુધર્મા શ્રેષ્ઠીએ તેમને કહ્યું કે “ભૂખ્યા વટેમાર્ગુને ભેજનનું આમંત્રણ કરવા જેવું આ તમારૂં આગમન માન્ય કરવા લાયક છે; અને એ હેતુથી જ મને અત્યંત હર્ષ આપનારું છે. તો પણ પુત્ર અને તેની માતાને પૂછી કન્યાઓને નજરે જોઈ માંગલિક કાર્યોમાં શુભચંદ્ર આદિ ગ્રહેવડે કરવા લાયક વિવાહના દિવસને નિરધાર કરી જે યુક્ત હશે તે અભિમાન રહિતપણે કરવાને હું ઈચ્છું છું.” આવેલા શ્રેષ્ઠીઓએ તે ઉત્તરને સ્વીકાર કર્યો. પછી સુધર્મા શ્રેષ્ઠીની ઈચ્છા જણાતાં તેઓએ શુભ દિવસે તેમના પુત્ર સાથે કન્યાઓને વિવાહ મુકરર કર્યો. ત્યાર પછી હર્ષ પામેલા તે સર્વેએ પ્રથમ સર્વ સ્વજનોની સાક્ષીએ પરસ્પર સંબંધનું દઢપણું કર્યું. પછી તેઓએ પોતપોતાના ઘરમાં વિચિત્ર પ્રકારનાં ચિત્ર, મંડપ અને તેણે વડે મનહર શભા કરી, અને બીજી પણ વિવાહને લાયક સર્વ ઉત્તમ સામગ્રી આદરપૂર્વક તૈયાર કરી. ? તે વિષે પંડિતોએ કહ્યું છે કે –“સંબંધની દઢતા કરવી ૧, ચંદ્રાદિકના બળવાળું સારું લગ્ન જેવું ૨, કામ કરવા માટે રસેઈઆ નોકર ચાકર રાખવા ૩, ઘરને વિવિધ પ્રકારે શણગારવું ૪, શાક ૫, પાપડ ૬, વડી ૭, પક્વાન્ન વિગેરે પાકની ક્રિયા કરવી ૮, વસ્ત્ર ૯ અને સુવર્ણના અલંકારાદિ તૈયાર કરાવવા ૧૦, પાનસેપારી વિગેરે તાંબુળ તૈયાર કરવું ૧૧, વિવાહના દિવસને નિશ્ચય કરે ૧૨, માણેકસ્તંભ રેપ ૧૩, જુવારા વાવવા ૧૪, માંડવો બાંધવ ૧૫, વરકન્યાને પીઠી ચળવી ૧૬, વરને આમંત્રણ કરવું અને જાન બોલાવવી ૧૭, વેદિકા, મંડપ અને તેરણ વિગેરેની રચના કરવી ૧૮, વર્ણ, ૧૯, ઉદ્વર્ણક ૨૦ અને લગ્ન વખતે વરવહુને ચાર પ્રકારનો શણગાર કરે ૨૧, ઉત્સવ સહિત વરનું મંડપે આવવું ૨૨, કન્યાદાનમાં દેવાનું દ્રવ્ય તૈયાર કરવું ૨૩, માંયરામાં બેસવું ૨૪, હાથે મીંઢળ બાંધવું તથા હાથે મેંદી લગાવવી ૨૫, મંત્રના ઉચ્ચાર કરવા ૨૬, તથા હસ્તમેળાપ કરાવે વિગેરે. આ સર્વ વિધિઓ અનુક્રમે કરવામાં આવે છે ર૭.” ગીત અને સંગીતના વિસ્તારવડે, મનહર અદ્ભુત ઉત્સવ વડે સર્વ સ્વજનના
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy