________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ઈચ્છે છે, સારા-ઘણા ધનમાં મોટા કાર્યને ઈચ્છે છે, શાંતરસમાં હાસ્યકથાને ઈચ્છે છે અને ઘણા પુત્રો પછી પુત્રીને ઈચ્છે છે.”
પછી તે રાજાએ સારે દિવસે અને શુભ મુહૂર્ત સ્વજનોને ભોજન કરાવી તે પુત્રીનું રતિસુંદરી નામ પાડ્યું. રાજાને અત્યંત વહાલી અને મનુષ્યના નેત્રના ઉત્સવરૂપ તે કન્યા ધાવમાતાઓ વડે લાલનપાલન કરાતી કલ્પલતાની જેમ વૃદ્ધિ પામવા લાગી.
તે કન્યાની વયની સાથે સ્પર્ધાએ કરીને જ જાણે વધતા હોય તેમ રૂપ, સૌંદર્ય, લાવણ્ય, દાક્ષિણ્ય અને વિનય વગેરે ગુણો અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. તે કન્યા કેળા ગ્રહણ કરવાને ચગ્ય એવી ચતુરાઈવાળી વય પામી ત્યારે રાજાએ તેણીને સર્વોત્તમ કળાચાર્યને સેંપી. બુદ્ધિવડે સરસ્વતીને જીતનારી અને વિનયરૂપી સંપદાના પાત્રરૂપ તે કન્યાને કળાચાર્યે થડા દિવસમાં જ સર્વ કળાઓ શીખવી દીધી; તેથી અનુક્રમે ચેસઠ કળામાં નિપુણ, ધર્મ, અર્થ અને કામના શાસ્ત્રને જાણનારી, સમગ્ર વિજ્ઞાનને સમજનારી, નીતિની રીતિમાં હુંશિયાર,. સમ્યગ્દર્શનવાળી અને તત્વને જાણનારી તે ચંદ્ર સરખા મુખવાળી કન્યા બીજી સરસ્વતી દેવી જ હોય એવી થઈ
પરંતુ ગર્વાદિકને લેશ પણ તે પામી નહી. પૂર્વજન્મના સંસ્કારને લીધે તેમજ જૈનધર્મી આચાર્ય ભણાવનાર હોવાથી તે કન્યા જૈનધર્મમાં અધિક આસક્ત થઈ તથા પંચ પરમેષ્ઠીને વિષે પૂર્ણ ભક્તિમાન થઈ. “આવા રૂપ અને ગુણવાળી કન્યા આ જગતમાં પ્રથમ કેઈ હતી કે નહીં ? અથવા ભવિષ્યમાં કઈ થશે કે નહી તે જાણવા માટે જ સરસ્વતી દેવીએ પિતાના હસ્તમાં પુસ્તક ધારણ કર્યું હોય તેમ જણાય છે.
આવી સર્વથી અધિક રૂપવાળી તે કન્યાને ગ્ય વર જેવાને માટે રાજાએ દરેક દિશામાં દૂત કલ્યા, પરંતુ તે કન્યાની સમાન રૂપવાળો કોઈ પણ વર તેમને મળે નહિ.
કેટલીક વખત આ કન્યા ઉપર બીજી રાણીઓની ઈર્ષ્યા જોઈને રાજાએ રતિમાળા પ્રિયા અને વહાલી પુત્રી રતિસુંદરીને નગર પાસે આવેલા બહારના મહેલમાં રાખીને બન્નેના નિર્વાહ માટે જોઈતુ ધન પણ આપ્યું.
તે નગરના ઉદ્યાનમાં એક ભવ્ય મંદિર હતું તેમાં તે રાજાની ચશ્વરી નામની કુળદેવી મહા પ્રભાવવાળી હતી, તેથી તેને સર્વ લેકે પૂજતા હતા. એક દિવસ તે મંદિરમાં કેઈ અપ્રમત્ત મહામુનિ ચાર માસના ઉપવાસ કરી સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તેના ગુણે જોઈને રંજીત થયેલી દેવીએ તેના સ્વાધ્યાયના અર્થનો વિચાર કરતાં પૂર્વભવના સંસ્કાર જાગૃત થવાથી પિતાને પૂર્વભવ જ્ઞાનવડે જાણે. તે આ પ્રમાણે– .