________________
आठमो सर्ग
देयो वान्तरवृन्दवतिविविधाऽनेक प्रभावप्रभाप्रस्थानप्रतिपन्थितां प्रथयति ग्रीष्मोऽत्र भीष्मः कलिः ॥ यन्माहात्म्यभरः स्फुरत्यपभयं तत्राऽप्यहो सर्वगः।
सर्व शीतलयन् जगत् - सुखयतास्मान् स पार्श्वप्रभुः ॥१॥ જે ભયંકર ગ્રીષ્મઋતુ જેવો કલિયુગ અન્ય દેવોના સમૂહમાં રહેલા વિવિધ પ્રકારના અનેક પ્રભાવરૂપી કાંતિને નાશ કરવામાં શત્રુપણું ધારણ કરે છે, તેવા કળિયુગમાં પણ જે ભગવાનના માહાતમ્યને સમૂહ સર્વત્ર નિર્ભરપણે પ્રસરી રહ્યો છે, તે સર્વ જગતને શીતળ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમને શાશ્વત સુખ આપો. * એક દિવસ શ્રી જ્યાનંદકુમાર દેવના બનાવેલા આ મહેલમાં સાતમે માળે ભદ્રાસન ઉપર બેસી આકાશ તરફ જુએ છે, તેટલામાં તેણે મનોહર રૂપવાળો અને યુવાવસ્થાવાળો એક પરિવ્રાજક આકાશથી જલ્દીથી પિતાની સમીપે ઉતરતો જો. તરત જ કુમાર પાસે આવી તે યોગીએ તેને આશીર્વાદ આપે. કુમારે તેને આસન અપાવ્યું. તે આસન પર યેગી કુમારના મુખકમળને પૃહાપૂર્વક જે બેઠે. કુમારે તેને પૂછયું કે
તમે કોણ છે? ક્યાંથી આવ્યા છે? અને તમારી શી ઈચ્છા છે? આવવાનું પ્રજન શું છે? તે કહો, કે જેથી તે પ્રજન સફળ કરી હું કૃતાર્થપણું પામું. હું - 'માત્ર ચેષ્ટાદિકવડે તમારું અર્થીપણું જ જાણું છું, પરંતુ તમારી શી માગણી છે? તે
સ્પષ્ટપણે જાણી શકતો નથી. માગણીનું જ્ઞાન છતાં જે તે આપવામાં ન આવે તો તેથી દાનીપણું કહેવરાવવું તે નિરર્થક થાય છે. યાચનાથી લજજાને પામેલે "અર્થી કદી યાચના કરવામાં વિલંબ કરે તે પણ દાનીએ તે આપવામાં વિલંબ કરે ઘટિત નથી. .
"प्रापितेन चटुकाकुविडंब, लंभितेन बहुयाचनलज्जाम् । अर्थिना यदघमर्जति दाता, तन्न लुपति विलंब्य ददानः ॥"
ચ, કાકુ અને વિડંબના (પીડા) પામેલ તથા યાચના કરવામાં ઘણી ૧ અથી જે લજજાને લીધે યાચના ન કરે-વિલંબ કરે તો તે નિષ્ફળ થાય છે. ૨ ખુશામત, પ્રિયવચન. ૩ ભયાદિકને લીધે બોલતાં વચનમાં વિકાર થાય તે. ૪ અથવા ચાહુ અને કાકુથી પીડા પામેલો.
AL
જ-૧૭