SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરિપૂર્ણ કર્યો. તે મહેલમાં ઈચ્છિત વસ્તુને આપનાર દેવના પરિવારથી સેવા, અપ્સરાથી પણ અધિક રૂપવાળી અને અપૂર્વ નેહવાળી નવી પરણેલી પત્નીની સાથે વિલાસ કરતો અને દેવની જેમ મનહર ભેગસુખને અનુભવ તે કુમાર તાપને પ્રાપ્ત થયેલા ધર્મમાં વૃદ્ધિ કરવાની ઈચ્છાથી સુખે કરીને કેટલાક દિવસ રહ્યો. અને નિરંતર પલંગ પર બેસીને આકાશ માર્ગે વિવિધ તીર્થોને વાંદવા લાગે. કઈ વખત પત્ની સહિત અને કોઈ વખત એકલે પણ તે કુમાર દેવની જેમ નદી, સમુદ્ર અને વનાદિકમાં ઈચ્છા પ્રમાણે કીડા કરવા લાગે. એગ્ય અવસરે તે કુમાર તે તાપસને જૈનધર્મની ક્રિયા સમ્યક્ પ્રકારે શીખવતું હતું, તથા જૈન દીક્ષા અને તેનું ફળ પણ તેમને બતાવતું હતું. તેથી તાપસ અનુક્રમે સિદ્ધાંતને ભણી, સર્વકિયાનુછાનના જાણકાર થઈ અને અહંશાસનમાં નિપુણ થઈ સર્વવિરતિ ચારિત્ર લેવા તૈયાર થયા. આ પ્રમાણે મનુષ્ય ધર્મના મહા પ્રભાવથી સર્વ પ્રકારની સ્થિતિ અને સર્વ પ્રકારના ભેગના વેગને પ્રાપ્ત કરે છે, દેવતાઓ પણ તેમની સેવા કરે છે, અને તેમને દેવની જયલક્ષમીવડે પ્રૌઢ એવા સુખે તેની મેળે જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા શ્રીજયાનંદરાજર્ષિ કેવળીના જયશ્રીના ચિન્હવાળા ચરિત્રને વિષે શ્રીજયાનંદકુમાર દેશાંતરમાં ગયા. ત્યાં હેમપુર નગરના ઉદ્યાનમાં રહેલા દુર્જય ભુંડને જીતી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં સુવર્ણજરી કુળપતિ વિગેરે પાંચસો તાપને તથા ગિરિચૂડ યક્ષને પ્રતિબોધ કર્યો, કુળપતિની પુત્રી તાપસુંદરી નામની ત્રીજી પત્નીને પરણ્યા અને આકાશગામી પલંગના પ્રભાવથી વિવિધ તીર્થોની યાત્રા કરી વિગેરે હકીક્તવાળો આ સાતમે સર્ગ સમાપ્ત થયો.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy