SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ સગ. ૧૨૭ - હું એક લક્ષ રૂપીયા આપીશ.” તે સાંભળી કેઈક જટાધારી યોગીએ ત્યાં આવી તેને કહ્યું કે– “હે શેઠ! જો તમે સત્ય પ્રતિજ્ઞાવાળા હો અને મારી ભક્તિ-પૂજા કરે તે હું તમારી પ્રિયાને શીધ્રપણે રોગ રહિત કરું.” તે સાંભળી તેણે તેનું વચન આદરથી અંગીકાર કર્યું. પછી વિનયથી તેને પોતાને ઘેર લઈ જઈ પોતાની પ્રિયાને બતાવી, તથા ભક્તિથી તેને સંતોષ પમાડી તેની પાસે ઉપાય કરાવવા લાગ્યો. તેના કરેલા ઔષધેવડે તેણીના શરીરમાંથી વ્યાધિ નષ્ટ થશે, એટલે તેણીને સજજ થયેલી જોઈ મેઘઘટાને જઈ મયૂરની જેમ તે શેઠ હર્ષ પામ્યો. અનુક્રમે મેઘવડે વનની જેમ તેના ઔષધવડે તેણીનું શરીર પુષ્ટ પણ થયું.. આ રીતે તે યોગીની વૈદ્યક શાસ્ત્ર સંબંધી નિપુણતા જઈ શેઠ ઘણો વિસ્મય પામે. પછી આગ્રહથી તેણે તે યોગીને એક માસ સુધી પિતાને ઘેર રાખે. તે વખતે તે એગીએ તે શેઠને પિતાને ધર્મ કહી આહંતધર્મમાં શિથિલ કર્યો. તે પાપની આલેચના કર્યા વિના તે શેઠ આયુષ્યને છેડે શુભમતિથી મરણ પામીને પૂર્વ પુણ્યના ભેગથી હું ગિરિચૂડ નામનો દેવ થયે છું. અત્યારે તમારી સાથે જ પ્રતિબંધ પામીને મેં શુદ્ધ સમકિત અંગીકાર કર્યું છે. તેથી ગુરૂના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરીને હું હમણા પ્રત્યક્ષ થે છું. તે ઉત્તમ દેવે કહેલા આ વરને તાપસસુંદરી આપો કે જેથી ઉત્સવપૂર્વક મારા ઉપકારીને વિવાહ કરીને હું પણ કૃતાર્થ થાઉં.” આ પ્રમાણે ગિરિચૂડદેવનું વચન સાંભળી કુળપતિ વિગેરે તાપસોએ હર્ષથી કુમારને પ્રાર્થનાપૂર્વક તે કન્યા આપી. એટલે ગિરિચૂડ દેવે તત્કાળ સર્વ સામગ્રી તૈયાર કરી. તેમાં રત્નના સ્તંભ ઉપર મોતીની માળાના તેરણ બાંધી સુવર્ણમય મંડપ બનાવ્યું. તેમાં બેસીને દેવીઓ તથા તાપસીઓ મેટા મંગળગીત ગાવા લાગી, દુંદુભિ વિગેરે વાજીંત્રો વાગવા લાગ્યા, દેવ બંદીજનોની જેમ જય જય શબ્દ કરવા લાગ્યા અને આશ્ચર્યથી એકઠા થયેલા દેવો અને વિદ્યાધરને સમૂહ પ્રશંસા કરવા લાગે. આ પ્રમાણે તે દેવના કરેલા ઉત્સવપૂર્વક દિવ્ય વસ્ત્ર અને અલંકારોથી ભૂષિત કરેલી તે કન્યાને તાપસેએ કુમારની સાથે પરણાવી. તે વખતે ગિરિચૂડ દેવે કુમારને દિવ્ય વસ્ત્ર તથા અલંકારો આપ્યા અને તુષ્ટમાન થયેલા કુળપતિએ આકાશગામી પલંગ આપે. પછી ત્યાં વનમાં ગિરિચૂડ દેવે સ્વર્ગના વિમાન જેવો સુવર્ણમય એક સાત માળને સુંદર મહેલ બનાવ્યું, અને તેને સ્વાદિમ, ખાદિમ વિગેરે પદાર્થોની સામગ્રીવડે
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy