SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પર્વતના શિખરની જેમ હાથીઓને પાડી નાખ્યા, કેટલાકે અશ્વોના પગ પકડી તેને નાના પથ્થરની જેમ આકાશમાં ઉછાળ્યા, અને કેટલાકે સૈનિકાના પગ પકડી તેમને ચક્રની જેમ ગાળ ભમાડવા. મૂછિત થઈ ને પડેલા કેટલાક ચેાદ્ધાએ ગીધપક્ષીની પાંખના વાયુથી સજ્જ થઈ જાણે તાજા થયા હોય તેમ ફરીથી યુદ્ધ કરવા લાગ્યા. પડી ગયેલા સૈનિક, હાથી અને અશ્વના સમૂહવા તથા ભાંગી ગયેલા રથ અને શસ્ત્રો વડે રણભૂમિમાં મુશ્કેલીથી ચાલી શકાતું હતું અને નૃત્ય કરતા ભૂત-પ્રેતના સમૂહવડે આકાશમાં પણ દેવતાઓ મુશ્કેલીથી ચાલી શકતા હતા. આ પ્રમાણે ભયંકર યુદ્ધ થતાં શૂરપાળના વીરસૈનિકોએ શત્રુનુ સૈન્ય ભાંગી નાખ્યું, એટલે તે ભય પામી કંઈક પાછુ હયુ.. તે વખતે ગથી અત્યંત ગનાં કરતું શૂરપાળનુ` સૈન્ય આનંદ પામ્યું, તે જોઈ ભાગરાજ પાતાના સુભટને ધીરજ આપી, મેટા રથપર આરૂઢ થયા અને અભિમાનરૂપી ધનવાળે, અત્યંત ક્રોધ પામેલા તથા શત્રુના સૈનિકને તૃણ સમાન ગણતો તે ભેાગરાજ યુદ્ધ કરવા દોડયો. તેના અને તેના સુભટાના નિરંતર પડતા, મસ્થાનને વીધનારા, પેાતાની સ્વેચ્છાએ ચાલનારા, દુષ્ટ મુખવાળા અને કઠોર રીતે એક સાથે મૂકેલા ઘણા માણેાવડે દેદીપ્યમાન, ઉત્તમ ધર્મને ધારણ કરનાર અને અ'ત હર્ષોંથી દાન દેનારા વીરા પણ તત્કાળ ભગ્ન થઈ ગયા. આ પ્રમાણે પેાતાના સુભટાને ભગ્ન થયેલા જોઈ અત્યંત માની શૂરપાળ રથમાં એસી ક્રોધથી યુદ્ધ કરવા આવ્યા, અને તેણે ભેાગરાજને કહ્યું કે—“ એકવાર તેા નાશીને કિલ્લામાં પેસી ગયા હતા, હવે કયાં જઈશ? જેણે બીજા પાસેથી ગરમી પ્રાપ્ત કરી છે તેવી રેતીની જેમ તું ક્યાંસુધી તપી શકીશ ? ” એમ કહી ભેાગરાજને યુદ્ધ કરવા બેલાબ્યા. એટલે તેની આવી અવજ્ઞા ભરેલી વાણીથી તે અત્યંત કાપથી અગ્નિની જેમ જાજવલ્યમાન થયા, અને એલ્સે કે—“ એકવાર ફાળથી ચુક્યા છતાં પણ ચિત્તો શુ વાંદરાઓને મારતો નથી ? અને ખીજાથી તપેલેા તૃણના સમૂહ પણ શું લેઢાને ખાળતા નથી ? ” એમ કહી. તે ભેગરાજ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. · તેજસ્વીની કરેલી અવજ્ઞાને કચેા તેજસ્વી સહન કરે ? ” તે ખનેનો એકસરે પણ અસ`ખ્ય ચાષ્ઠાએને ભયંકર થયા. તે વખતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા વીરાની આળસ જાણે ભય પામી હેાય તેમ નષ્ટ થઈ ગઈ. પછી શૂરવીર શૂરપાળે ખાણેાવડે થાકેલા ભાગરાજનું ધનુષ છેદી નાખ્યું, તેના રથને પણ ઘડાની જેમ ભાંગી નાખ્યા, માથાના ટોપને ભેદી નાખ્યા અને તેની હાંસી કરીને અખ્તર પણ છેદી નાખ્યું. ૧ બાણુ તથા યાચક. ૨ એકની સંખ્યા. બીજા પક્ષે અદ્વિતીય સંગ્રામ.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy