SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો સગે. વિરસાદ વડે હતપ્રહત કરી નાખ્યા. તે જોઈ ચંડરસેન પોતે કોધથી યુદ્ધ કરવા આવ્યા અને તેણે ભિલેને ધીરજ આપી. એટલે રણશીંગડાના નાદ વડે ગુફાઓને નાદવાળી કરતા અને અધિક ક્રોધ પામેલા તે સર્વ ભિલ્લે યુદ્ધને માટે એકઠા થઈ ગયા. તે વખતે કેઈથી નિવારી ન શકાય એવા, ભયંકર અને ચતરફ પ્રસરતા એકી વખતે મૂકેલા બાણેએ કરીને ભિલેને હણતા શ્રીજયાનંદકુમારને તેઓએ યમરાજ જેવો . પિતાના સુભટથી જીતી ન શકાય તેવા અદ્ભૂત બળવાળા તે મનુષ્યને જાણી તત્કાળ ભય પામેલા ચંડસેને તેને કહ્યું કે –“તું કેણ છે ! અને મારા સુભટોને કેમ હણે છે?કુમારે જવાબ આપે કે તમે જેને બાંધે છે, તેને હું નાનો ભાઈ છું. તેને મુક્ત કરીને તમે નિર્ભય થઈ ખુશીથી ચાલ્યા જાઓ. તમે કાંઈ મારા શત્રુ નથી, તેથી તમને હણવાનું મારે શું પ્રયોજન છે?” ત્યારે ચંડસેને બોલ્યો કે...“તારા ભાઈને તું ગ્રહણ કર. યુદ્ધના સંરંભને મૂકી દે, અને આપણા બન્નેની ચિરકાળ પ્રીતિ થાઓ.” તે સાંભળી “બહું સારૂં” કહી મહાપરાક્રમી શ્રીજ્યાનંદકુમાર રણસંગ્રામ તજી દીધે, એટલે તેના ગુણથી ચિત્તમાં આશ્ચર્ય પામેલા પલ્લી પતિએ પણ સિંહને મુક્ત કર્યો. ત્યારપછી પલ્લીપતિ’ પિતાના કાર્યને માટે તે બને ભાઈઓને વિનયથી ઘણી પ્રાર્થના કરીને ગામના આકારને ધારણ કરતી પિતાની પલ્લીમાં લઈ ગયા. ત્યાં પલ્લીપતિના આગ્રહથી તે બન્ને ભાઈઓ સુખેથી રહ્યા, અને તે પલ્લીપતિ શ્રીયાનંદકુમાર પાસે ધનુર્વિદ્યા શીખવા લાગ્યો. સિંહકુમાર તે ભિલપતિની સાથે શિકાર, ચેરી અને ધાડ વિગેરે કાર્યમાં જવા લાગે અને નીચ કર્મ કરવા લાગે. શ્રીજયાનંદકુમાર એક વખત પણ તેની સાથે ગયે નહિ. આ સમયે સહસ્ત્રકૂટ પર્વત પર મહાસેન નામને પલ્લી પતિ હતા. તેની સાથે આ ચંડસેનને અત્યંત વૈર હતું. તેથી એક દિવસ તે ચંડરસેન સિંહકુમાર સહિત તેની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. તે વખતે તેણે શ્રીજયાનંદકુમારને કહ્યું કે– “હે વીર ! તું પણ ચાલ અને મને યુદ્ધમાં સહાયભૂત થા. તે ઉત્તમ પુરૂષ! મારા આ કાર્યની સિદ્ધિને માટે મેં તને આ પલ્લીમાં રાખેલ છે.” તે સાંભળી પ્રાર્થનાને ભંગ કરવામાં ભીરૂ એવા શ્રીજયાનંદકુમારે તેનું વચન અંગીકાર કર્યું. ત્યારપછી ચંડસેન સર્વ સૈન્ય સહિત સહસ્ત્રકૂટ નામના પર્વતને રણશીંગડાના નાદ વડે પૂર્ણ કરતો યુદ્ધ - ૧ હત એટલે હણેલા અને પ્રહત એટલે અત્યંત હણેલા. Ugz// ////g D.. -r- ---- - -- --
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy