________________
छठ्ठो सर्ग
श्रेयः श्रीवृषभस्तनोतु भगवान् गां प्राप्य यः केवलावस्थायां समजीजनद् गुरुतरं तं कञ्चनैकं वृषम् ॥ विश्वाधारकरः शिवाध्वपथिकान् संसारघोराऽटवी
पारं प्रापयतिस्म यश्चिरमहो भव्यानसंख्यानपि ॥१॥ જે પ્રભુએ કેવળીપણાની અવસ્થામાં ગેને પામીને એક મોટા એવા રવૃષને ઉત્પન્ન કર્યો, કે જે વૃષ વિશ્વનો આધારભૂત થઈ મોક્ષમાર્ગના મુસાફર એવા અસંખ્ય ભવ્યને ચિરકાળ સુધી સંસારરૂપી ઘોર અરણ્ય પાર પમાડે છે, તે શ્રીવૃષભપ્રભુ તમારા કલ્યાણને વિસ્તારે. - હવે મોટા ભાગ્યવડે અને શત્રુને વિજય કરનારા ગુણવડે રાજ્યની વૃદ્ધિ કરનાર શ્રીજયાનંદકુમાર રાજાને તથા નગરજનોને હર્ષ પમાડતો હતે. એ રીતે તેને તે સુખમય ઘણે કાળ વ્યતિત થયે; પરંતુ સૂર્યના કિરણે વડે જેમ ઘૂવડ ખેદ પામે તેમ શ્રીજયાનંદકુમારની સમૃદ્ધિ જોઈને સિંહકુમાર નિરંતર ખેદ પામતા હતા. કહ્યું છે કે –
- “ખળ પુરૂષને સત્કાર કર્યા છતાં પણ તે બીજાની સમૃદ્ધિ જઈને અત્યંત ખેદ પામે જ છે. જળથી સિંચન કરેલે પણ જવા બીજા ધાન્યની સમૃદ્ધિ જોઈ સૂકાઈ જાય છે.” શ્રી જયાનંદકુમારને દેશાંતરમાં લઈ જઈને અહીં પ્રાપ્ત થયેલી લક્ષ્મીને વિયાગ કરાવવા ઇચ્છતા તે માયાવી સિંહસારે એક દિવસ એકાંતમાં શ્રી જયાનંદકુમારને આ પ્રમાણે કહ્યું કે–
હે ભાઈ! આપણું નગરમાંથી આપણે અનેક દેશના આશ્ચર્ય જેવા માટે નીકળ્યા છીએ, તેથી હવે આપણે અહીં વધારે ન રહેતાં દેશાંતર જઈએ. કારણકે મને વિચિત્ર આશ્ચર્ય જેવાનું કૌતુક છે, તે કૌતુક દેશાંતરમાં ભ્રમણ કર્યા વિના એક ઠેકાણે રહેવાથી પૂર્ણ થાય તેમ નથી. તેવા કૌતુક જોવાની આશાથી આપણે અહીં આવ્યા પરંતુ અહીં
૧ વાણી અથવા ગાય. ૨ ધર્મ અથવા બળદ.